SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૫ ઔપચારિક વિનય ૨ પ્રકારનો છે, ૧ પ્રતીરૂપ યોગ પૂજનરૂપ, ૨ અશાતના વિનય. પ્રતીરૂપ વિનય 3 પ્રકારે ૧ માનસિક ૨ વાચિક ૩ કાયિક તેમાં માનસિક વિનય ર પ્રકારનો વાચિક વિનય ૪ પ્રકારનો, અને કાયિક વિનય ૮ પ્રકારનો છે. માનસિક વિનયના ૨ પ્રકાર. ૧ અકુશલ મનનો વિરોધ કરવો, એટલે બુરું ચિંતવવું નહિ. ૨ કુશળમનની ઉદીરણા કરવી, એટલે સારૂં ચિતવવું. આ રીતે પ્રતિપત્તિ રૂપ ત્રણ પ્રકારનો પણ વિનય કહેલો છે. વાચિક વિનય ૪ પ્રક્ટર ૧ હિતકારી બોલવું, બીજા જીવોનું હિત થાય તેવું બોલવું. ૨ ખપપૂરતું જ બોલવું, નકામું આડુંઅવળું બોલવું નહિ ૩ મધુર બોલવું, સામાને પ્રિય લાગે તેવું બોલવું, કડવી ભાષા ન બોલવી. ૪ લોકોને અનુસરતું બોલવું. કાયિક વિનય ૮ પ્રકારનો ૧ ગુણીજન આવ્ય ઊભા થઈ, તેના સામું જવું તે અભુત્થાનવિનય. ૨ તેના સામે બે હાથ જોડી ઉભા રહેવું તે અંજલીબદ્ધ વિનય. ૩. તેમને આસન આપવું તે આસનપ્રદાન વિનય. ૪. તેમની ચીજ વસ્તુ લઈને ઠેકાણે મૂકવી તે અભિગ્રહ વિનય. ૫. તેમને વંદન કરવું તે કૃતિકર્મ વિનય. ૬. તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે શુશ્રુષા વિનય ૭. તેમની પાછળ જવું તે અનુગમન વિનય. ૮ તેમની પગચંપી કરવી તે સંસાધન વિનય. M૨૮૯) ૨૮૯ ભાગ-૮ ફર્મી-૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy