SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જીવાજીવાદિ નવ પદાર્થો છે, તેને સ્વપર બે ભેદોથી ગુણવાથી ૩૬ થાય, તેને પાંચ સમવાયે ગુણવાથી ૧૮૦ થાય છે. સ્વ પોતાના આત્માથી જ સિદ્ધિ માનનારા, પર તે પરના આત્માથી જ પોતાની સિદ્ધિ માનનારા, સ્વ નિત્ય, સ્વ અનિત્ય, પર નિત્ય પર અનિત્ય. ૮૪ ભેદો અક્રિયાવાદીયોના છે. તેઓ પુન્ય પાપવર્જિત સાત તત્ત્વો માને છે, સ્વપર એ બે ભેદોથી ગુણવાથી ૧૪ થાય છે, તેને પાંચ સમવાયથી, તથા છઠ્ઠા યદચ્છ ભેદથી ગુણવાથી ૮૪ ભેદો થાય છે. તેઓ વસ્તુનું ઉત્પત્તિ, અનંતર વિનાશીપણું માનનારા ક્ષણિકવાદી હોય છે. ૬૩ ભેદો અજ્ઞાનીયોના છે. તેઓ અજ્ઞાનદશાથી હઠ કદાગ્રહવાળા હોય છે, તેથી જ્ઞાનને અજ્ઞાનપણે માને છે, જીવાદિક નવતત્ત્વનો ૧ સત્વ, ૨ અસત્ત્વ, ૩ સઅસત્ત્વ, ૪ અવાચ્યત્વ, પ સઅવાચ્યત્વ ૬-૭ સઅસઅવાચ્યત્વ, નવને સાતે ગુણવાથી ૬૩ ભેદો થાય છે, તેને ૧ સતી, ૨ અસતી, ૩ સઅસતી, ૪ અવક્તવ્યતા ભાવોની ઉત્પત્તિ એ ચારે મેળવાથી, તે સન્મા ચાર ભેળવવાથી ૬૭ ભેદો થાય છે. નૈયાયિકોના ૩ર ભેદો થાય છે. તેઓ આચાર લિંગ શાસ્ત્રોને ધારણ કરવાવાળા હોતા નથી, ફક્ત વિનય પ્રતિપત્તિ લક્ષણ યુક્ત હોય છે. દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, અવિર, અધમ,માતા, પિતા આઠ થાય તે આઠને મન વચન કાયા દાન-એ ચારથી ગુણવાથી ૩૨ ભેદો થાય છે. તેઓ જિનવચન રહિત મિથ્યાદષ્ટિ વ્યાસ, વાલ્મિકી, આદિના શાસ્ત્રોથી, મૂળજ્ઞાનહીન રહી, દંભાદિકને સેવન કરીને પોતાના મતને સ્થાપન કરીને બીજા જીવોને પોતાની ભંગજાળને વિષે ફસાવનારા હોય M૨૮૫ ૨૮૫ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy