SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જ્ઞાનયોગમાં, જ્ઞાનાવરણી પ્રકૃતિનો ક્ષય ઉપશમ થયેલો છે, એટલે આત્માના અસંખ્યાતા પ્રદેશ છે, તેમાં જે જે આત્મપ્રદેશથી આવરણ ઉદયાગત વિપાકે પ્રાપ્ત થયાં તેને ક્ષયોપશમ બળે ખેરવ્યા, નિર્જ ને જે જે આત્મપ્રદેશથી ઉદયાગત આવરણ પ્રાપ્ત ન થયાં તેને ઉપશમાવ્યા (બાળ્યા), તેનું જ નામ ક્ષયઉપશમ છે, ત્યાં સત્તામાં રહેલા આવરણ, ક્ષપકશ્રેણિગતે ભેદજ્ઞાનની, અનંતશક્તિ, આઠમા અપૂર્વગુણઠાણે પામતાં આત્માના સર્વ પ્રદેશોથી ઘાતકર્મનાં આવરણ ચલાયમાન કરી મૂકયા છે, તે ઉદયાગત પ્રાપ્ત થઈને સામા આવે, તેને પોતાના જ્ઞાનજોગને, અબાધાપૂર્વક પોતે હણે છે, નિજેરે છે, એમ કરતાં કરતાં, આત્માના અસંખ્ય પ્રદેશ રહેલા ઘાતી કર્મના આવરણ પ્રકૃતિદળ છેવટે ખૂટે છે. એટલે આત્માના અસંખ્ય પ્રદેશ ઘાતી કર્મરહિત થાય (નિરાવરણ થાય) ત્યાં કેવળજ્ઞાન પ્રગટે, તે કેવળજ્ઞાને દ્રવ્યથી, અરૂપીને રૂપી, ક્ષેત્રથી, લોકને અલોક, કાળથી અતીત, અનાગત, વર્તમાન, ભાવથી ઉત્પત્તિ વિનાશને ધ્રુવપણે સમસ્ત પદાર્થને કેવળ ઉપજે, તે જ સમયે જાણે, તેને કેવળજ્ઞાન કહીએ, દેખે, તેને કેવળદર્શન કહીએ, તે કેવળજ્ઞાન, કેવળદર્શનની પ્રાપ્તિનો હેતુ, ક્ષય ઉપસમભાવનો, અપ્રતિપાતિ, મતિ, શ્રુતજ્ઞાન જોગ ઉપર કહ્યો છે તે અપ્રતિપાતિ જ્ઞાનજોગને, ચર્મશરીરી એટલે છેલ્લે ભવે, સર્વે જીવો પામે છે, એ જ્ઞાનજોગ સમુદાયે પાંચ ભેદે પરિપૂર્ણ કહ્યો છે, પરંતુ નિશ્રાવિના પરિપૂર્ણ થાય નહિ, તે જ્ઞાનજોગને, સમકિતની ચારિત્રની અને દાનાદિક પાંચ લબ્ધિની નિશ્રા છે, તે આત્મિક જાણવી. (ઉપદેશ એક્સો બાવીસમો) ૩૬૩ પાખંડીયો ૧૮૦ ભેદ ક્રિયાવાદીઓના છે. તેઓ આત્માની સાથે સમવાય સંબંધે રહેલી ક્રિયાને જ માનવાવાળા હોય છે. તેઓ આત્માને માને છે, પરંતુ સમવાય સંબંધવાળું જ્ઞાન દર્શન માનતા નથી. M૨૮૪) ૨૮૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy