SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૩. જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બ્રહ્મચારી પુરુષ બે ઘડી સુધી ન બેસે. પુરુષને આસને સ્ત્રી પણ ત્રણ પહોર ન બેસે. ૪. સ્ત્રીને અંગોપાંગ સરાગે નિરખે નહિ. ૫. ભીંત પ્રમુખને આંતરે સ્ત્રી પુરુષ, બને સૂતા હોય અથવા કામ વિષે વાતો કરતા હોય ત્યાં બેસી રહે નહિ. ૬. પૂર્વ અવસ્થામાં સ્ત્રી સાથે કરેલ કામક્રીડાનું સ્મરણ કરે નહિ. ૭. સરસ. સ્નિગ્ધ આહાર લે નહિ, ૮. નીરસ આહાર પણ અતિ માત્રામે વજન ઉપર લે નહિ. ૯. શરીરની શોભા વિભૂષા, કરે નહિ. ચાર ક્યાય ક્રોધાદિક ચાર કષાય, તે ચારિત્રના ઘાતક પરિણામવિશેષ જાણવા, તેનાથી મુક્ત થવું તે. પાંચ મહાવ્રતો ૧. પ્રાણાતિપાતવિરમણ-ત્રિકરણ યોગે છકાયના જીવોની રક્ષા કરવી તે, હિંસા કરે, કરાવે, અનુમોદે નહિ. ૨. મૃષાવાદવિરમણ-ક્રોધ, લોભ, ભય, હાસ્યથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી, મન, વચન, કાયાએ કરી અસત્ય બોલે નહિ, બોલાવે નહિ, બોલતાંને ભલો જાણે નહિ. ૩. અદત્તાદાનવિરમણ-પારકાની કાંઈ પણ વસ્તુ દીધા વિના લે નહિ, લેવરાવે નહિ, લેનારને ભલો જાણે નહિ તથા તીર્થકર અદત્ત, ગુરુઅદત્ત, સ્વામીઅદત્ત, લે નહિ, લેવરાવે નહિ લેનારને ભલો જાણે નહિ. ૪. મૈથુનવિરમણ-દારિક તે નવ પ્રકારે, મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીને, મન, વચન, કાયાએ કરી, સેવે નહિ, સેવરાવે નહિ, સેવતાને ભલો જાણે નહિ, તથા નવ પ્રકારે દેવતાઓની સ્ત્રીને વિષે પણ ઉપર પ્રમાણે જાણવું. એ અઢાર પ્રકારે બ્રહ્મચર્યનું પ્રતિપાલન કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy