SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ એ સર્વે દુર્ગતિને વિષે લઈ જવામાં પ્રબળ સાધનભૂત બને છે માટે ખાસ કરીને તેને છોડી દેવાની આવશ્યકતા છે, ૨૫ પ્રાત:કાળે ચાર ઘડી રાત્રિ રહ્યા પછી, ઉઠીને પંચ પરમેષ્ઠિ મહારાજાને નમસ્કાર કરી શય્યાને છોડી દઇને શાંતિથી પ્રતિક્રમણ કરવું. ર૬ ત્યારબાદ ગુરૂને વંદન કરી પ્રત્યાખ્યાન કરવું, પછી પરમાત્માનું પૂજન કરીને, વ્યાખ્યાન શ્રવણકરવું. ૨૭. અનિત્ય અસરણાદિક બાર ભાવનાના સ્વરૂપને ચિંતવતા, નવા, કર્મો ન બંધાયા, અને જુના બાંધેલા હોય તે શટન પટન વિધ્વંસ ભાવને પામે, તેવી નિર્મળ ભાવના નિર્મળ ભાવે ચિત્તની વિશુદ્ધતાથી, નિરંતર ભાવની, કે જેથી કરીને આ ભવને વિષે એ ઉપરોક્ત કરણી, વૃદ્ધા અવસ્થામાં કરવાથી, આવતા, ભવને વિષે પણ તે તમામ સુલભતાથી પ્રાપ્ત થાય, તેમ કરી સ્વલ્પ ભવનો વિષે જ મુક્તિમાર્ગના અધિકારી ભોક્તા સહેલાઇથી થઇ શકાય છે. (ઉપદેશ અઠાણુમો) ધમપદેશ દશ દષ્ટાન્ત દુર્લભ એવા મનુષ્ય જન્મને પામી, મનુષ્યોએ પોતાના મનને સ્થિર કરી, એક મુહૂર્ત માત્ર વ્યર્થ જાય તેવું કામ કરવું નહિ. દિવસના ચાર પહોર સુધી મનુષ્યોએ એવું કામ કરવું કે રાત્રિએ નિશ્ચિત હૃદયથી સુખપૂર્વક નિદ્રા આવે. વિવેકી મનુષ્યોએ આઠ માસ સુધી એવું કામ કરવું કે ચોમાસાના ચાર માસમાં, સુખશાંતિથી એક જગ્યાએ સ્થિરતા કરી, શુભ વાસના સહિત ધર્મકરણીકરી શકાય. યૌવન અવસ્થા પામી મતિમાન્ મનુષ્યોએ એવા પ્રકારનું કામ કરવું કે વૃદ્ધાવસ્થામાં સર્વાર્થસિદ્ધિસુખને મેળવી સુખી થવાય, કળાવાન મનુષ્યોએ આ જિંદગીમાં કોઈ અદ્ભુત એવું કામ કરવું કે જે કામ કરવાથી શુદ્ધ જન્માંતર પ્રાપ્ત થાય. ૨૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy