SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ને અંતરાય એ મૂળ પ્રકૃતિના ભેદવડે કરીને આઠ પ્રકારના છે. અને જ્ઞાના. ૫,દર્શના, ૯, વેદની ૨, મોહની ૨૮, આયુ ૪, ગોત્ર ૨, નામ ૧૦૩ અને અંતરાય પ ઉત્તરપ્રકૃતિ બંધ વિષે ૧૨૦ અને ઉદયે ૧૨૨, ઉદીરણાને વિષે ઉત્તરપ્રકૃતિ કહે છે, અને સત્તાને વિષે ૧૫૮ પ્રકૃતિ કહેલી છે. (ઉપદેશ ચોરાણુંમો) જીવનનું પરિભ્રમણ હે ભવ્યજનાઃ સાંભલો. આ જીવ અનાદિ કાળથી સંસારમાં રઝળ્યા કરે છે. આ જીવે સૂક્ષ્મનિગોદમાં, બાદરનિગોદમાં, તથા વનસ્પતિકાયને વિષે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સુધી, પરિભ્રમણ કર્યું છે અને ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અનંતા પુદ્ગલપરાવર્તનો કર્યા ત્યાંથી નીકળી, અકામનિર્જરા વડે મહામુસીબતે બાદરનિગોદ (વ્યવહાર રાશી)માં આ જીવ આવે છે. ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિકને વિષે અસંખ્યાતા કાળ સુધી તેમજ વિકેલેંદ્રિયને વિષે કેટલીએક કાળ સુધી ફરે છે. એવી રીતે પંચેદ્રિયને વિષે કેટલોક કાળ ફરીને મનુષ્યોને વિષે સાતઆઠ ભવ કરે છે. આવી રીતે સર્વ પ્રાણીઓની સ્થિતિ જાણવી. આ સ્થિતિ વ્યવહારાશીવાળાની કહી. સિવાય નિગોદીઆ જીવોને માટે અનંત કાળની સ્થિતિ કહેલી છે. વળી પૃથ્વીકાયે ૨૨ હજાર, અપકાયે ૭ હજાર, તેઉકાયે ૩ અહોરાત્ર, વાઉકાયે ૩ હજાર અને વનસ્પતિકાયે ૧૦ હજાર વર્ષનું આયુષ્ય કહેલું છે. બેઇંદ્રયનું બાર વર્ષનું, તેઇંદ્રયિનું ૪૯ દિવસનું, ચૌરેંદ્રિયનું ૬ માસનું, પંચેંદ્રિયનું ૩ પલ્યોપમનું, સુરનારકીનું જઘન્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું કહેવું છે. એ પ્રકારે ચોરાશી લાખ જીવાયોનિમાંહે આ જીવવારંવાર ગતિ આગતિ કરે છે એવી રીતે સર્વ ૨૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy