SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઉપર મૂકશું. તો પણ તે છૂટી થશે નહિ, પરંતુ બંધન છોડી નાખવાથી છૂટી થઈ જશે, તેવી રીતે કથા આદિ પ્રમાદ આચરણના સેવનથી તથા પ્રાણાતિપાતાદિદોષોથી, જે કર્મ બંધાએલા હોય છે તે કર્મો આલોચના તથા પ્રતિક્રમણાદિકથી નાશ પામે છે તે બધ્ધકર્મ કહેવાય છે. (૩) તેજ સોયોનો સમૂહ ગાઢ બંધનથી બાંધેલો હોય, અને તેજ સ્થિતિમાં જેમને તેમ લાંબા કાળ સુધી બંધાએલ પડ્યો રહે અરસપરસ કાટ લાગવાથી તે સોયોને હાથ લગાડી છૂટી કરીએ, છતાં પણ ચોટી જવાથી છૂટી થઈ શકે નહિ, પરંતુ તેલ, અગ્નિ, તાપ, પત્થર ઉપર ઘસવાના પ્રયોગ, તેમજ બહુ ઉપક્રમ કરવાથી તે સોયો જુદી થાય છે અને સાઉથાય છે, તેવી રીતે જે કર્મ દોડવું, છેદવું, કાપવું, ધોવું, અભિમાન કરવાપણું તેમજ આકુટુ આદિ દોષથી ઉપાર્જન કરેલું હોય, લાંબા કાળ સુધી તેની આલોચના નહિ લીધેલ હોવાથી આત્માના પ્રદેશ સાથે જે ગાઢ રીતે બંધાએલ હોય છે તે તીવ્ર પશ્ચાતાપ, આત્મનિંદા તથા ગુરુએ આપેલ ઘોર છમાસની તપસ્યાદિકવડે કરીને નાશ થાય છે, તે નિદ્ધત્ત કર્મ કહેવાય છે. (૪) તેજ સોયોને ધગધગતા અગ્નિને વિષે તપાવીને તેને લોઢાના ઘણથી ટીપીને એકમેક કરી દીધેલી હોય છે, તે બહુ ઉપક્રમ કરવાથી પણ કેમે કરી જુદી થતી નથી, પણ જેમ લોઢાનો પિંડ એકત્ર કર્યો તેમ ભાંગી ભાંગીને જુદી પાડે ત્યારે નવીન સોયો બને, તેમજ આ જીવે રાચીમાચીને જે જે કર્મો, કર્યા હોય, દુષ્ટ ભાવનાથી જે કર્મો કરેલા હોય, જાણતા છતાં કરેલા હોય બહુ જ સારું કર્યું, હજી પણ એમજ કરીશ, એવી રીતે નિરંતર વારંવાર અનુમોદન કરેલ હોય, કર્મબંધન કરતા લગાર માત્ર પણ શોચ, વિચાર કર્યો ન હોય તે કર્મોની આલોચના પણ લીધેલી ન હોય, અને આત્મપ્રદેશ સાથે ગાઢ રીતે વ્યાપ્ત થએલ હોય તે નિકાચિત કર્મ કહેવાય છે. તે નિકાચિત કર્મ, પોતે જેવી રીતે આચરેલું, કરેલું, બાંધેલું હોય તેના વિપરીત કર્મથી, અગર ઘોર તપસ્યા કરવાથી નાશ પામે છે. આ સિવાય નાશ થતું નથી. તે નિકાચિત કર્મ કહેવાય છે. કર્મો જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની મોહની આયુ, નામ, ગોત્ર ૨૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy