SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ક્રમથી આ જ નામવડે કરીને ૨૮ અંતરદ્વીપો જાણવા એવી રીતે પ૬ અંતરદ્વીપો છે. ( ઉપદેશ બાસીમો ) હિત શિખામણ સારી વાંછા કરનારે સદા શાન્તિને માન્ય કરવી. સર્વ જીવોને વિષે મિત્રતા ધારણ કરવી. અપકારીના ઉપર પણ ઉપકાર કરવો. નરકાદિક પ્રાપ્ત થાય તેવી કરણી દૂર કરવી. મિથ્યાત્વીના શાસ્ત્રોને કોઈ દિવસ સાંભળવા નહિ. આદરથી આરંભનો ત્યાગ કરી, પટકાયની વિરાધના વર્જવી. સર્વ જીવોને પોતાના સમાન ગણવા. પ્રચંડ પાપકર્મનો અનર્થ દંડ ત્યજવો. મનરૂપી મર્કટને બરાબર વશવર્તી કરવો. પરાભવને સહન કરવો, પરંતુ નિર્માલ્ય થવું નહિ. વિશ્વાસઘાત વર્જી, નિરંતર સરલપણું ધારણ કરવું. ક્રોધ, માન, માયા, લોભાદિકને વર્જી સત્ય વક્તા થવું. નિરંતર સમિતિ ગુપ્તિને ધારણ કરવી. પરનું દુઃખ દેખી, કોઈ દિવસ હાસ્ય કરવું નહિ. પ્રતિદિન ભવભયથી ઉદાસીનતા ધારણ કરવી. પાપકર્મને કરતા ક્ષણે ક્ષણે કંપાયમાન થવું. દેવ, ગુરુ, ધર્મની શુદ્ધતા સહિત, ઉજ્જવળ રત્નત્રયી મેળવવા ઉદ્યમ કરવો. કર્મ ક્ષય કરવામાં સહાયક, સહસ્રમલ્લાદિક મુનિમહારાજાઓનું, અહર્નિશ પોતાના હૃદયકમલને વિષે ચિંતવન કરવું. (ઉપદેશ કાશીમો) શોચક્રવા લાયક શું ? ૨૨૫ ભાગ-૪ રૂમો - ૧ ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy