SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૫. લજ્જાદાન, લજ્જાના વશથી દાન આપવું. તે. ૬. ગર્વદાન, અભિમાનથી ભાટ ચારણને આપવું તે. ૭. ધર્મદાન, સુપાત્ર સાધુને આપવું તે. ૮. અધર્મદાન, જેના આપવાથી અધર્મ ઉત્પન્ન થાય તે. ૯. કાલીદાન, કોઈ કોઈ ઠેકાણે આપવું તે. ૧૦ કથનદાન, કાંઇક લઈ દઈને આપવું. તે મહાદાની અરિહંત મહારાજા હોય છે. મહાદાની તીર્થંકર મહારાજા કહેવાય છે, છતાં અજ્ઞાની લોકો, તેમને ઈર્ષ્યાથી મહાદાની નહિ ગણતા, પોતાના બુદ્ધિને મહાદાની ગણી નીચેની કલ્પના ઊભી કરે છે - एते हाटकराशयः प्रवितता : शैलप्रतिस्पद्धिनो, रत्नानां निचयाः स्फुरंति किरणैराक्रम्य मानो : प्रभाम् । हारा पीवरमौक्तिकौघरचित्ता, स्तारावली भासुरा :, यामादाय निजानिस्वगृहतः स्वैरं जनो गच्छति ॥११॥ ભાવાર્થ : વિસ્તારવાળા પર્વતની સ્પર્ધા કરવાવાળા, સોનાના ઢગલાઓને તથા સૂર્યના કિરણોને આક્રમણ કરનારા, ફુરણાયમાન રત્નોના ઢગલાને, તથા તારાના સમૂહના સમાન દેદીપ્યમાન મોતીયોના સમૂહથી બનાવેલા હારોના ઢગલાને બૌદ્ધ દાન આપવાથી, લોકો પોતાના ગણી જાણે પોતાના ઘરથી જ લઈ જતા હોય ને શું ? તેમ લોકો લઈ જઈ પોતાની સ્વેચ્છાએ ગમન કરે છે. બૌદ્ધ લોકોએ દાનને મહત્ શબ્દથી અલંકૃત કરી, બૌદ્ધના મહાદાનનું મોહ અને અજ્ઞાનથી વર્ણન કરેલ છે, તેને શાસ્ત્રકાર મહારાજા સત્ય ઉત્તર આપી નિરુત્તર કરી, તેઓ કેવલ અસત્યવાદી છે, તે સિદ્ધ કરી બતાવે છે. ભગવાન્ ત્રિલોકીનાથ જ્યારે દાન આપે છે ત્યારે વરં વૃણષ્ય, વરં વૃણપ્ન, વર માગો, વર માગો, એમ કહી અતિશયપૂર્વક દાન આપે M૨૦૨૦ ૨૦૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy