SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ વેદનીય કર્મને બાંધે છે, તે થકી વિપરીત અશાતાવેદનીય કર્મને બાંધે છે. ૭. અરિહંત, ચૈત્ય, સિદ્ધ, તીર્થાદિકને વિષે પ્રત્યનીક-શત્રુપણ ધારણ કરનાર, સંસારની વૃદ્ધિ કરનાર, મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે ૮. ખરાબ આહારાદિકને ગ્રહણ કરનાર, મિથ્યાત્વ મહાઆરંભ મહાપરિગ્રહને વિષે રક્ત, રૌદ્ર પરિણામી અને પાપબુદ્ધિવાળો જીવ નરકના આયુષ્યને બાંધે છે, ૯. ઉન્માર્ગનો દર્શક, માર્ગનો નાશ કરનાર, આર્તધ્યાનને ધારણ કરનાર, બહુ જ કપટરક્ત જીવ તિર્યંચના આયુષ્યને બાંધે છે. ૧૦. સ્વભાવથી જ સ્વલ્પ કષાયાં, દાનરક્ત, પ્રકૃતિ, ભદ્રિક, વિનીત વિગેરે મધ્યમાદિક ગુણોથી મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૧૧. અણુવ્રત અને મહાવ્રતાકિના પ્રતિપાલન કરવાથી બાલતપ. તથા અકામ નિર્જરાથી, જે જીવ સમ્યકત્વદષ્ટિપણું ધારણ કરનાર હોય તે દેવતાનું આયુષ્ય બાંધે છે. ૧૨. મન, વચન, કાયાથી, વક્ર પ્રકૃતિવાળો ગુણષી ગારવથી બંધાયેલ અશુભ નામકર્મને બાંધે છે, અને તેથી વિપરીત શુભ નામકર્મને બાંધે છે. ૧૩. અરિહંતાદિકને વિષે ભક્ત સૂત્રને વિષે રુચિવાળો પ્રતનું કષાય ગુણરાગી જીવ ઊંચ ગોત્રને બાંધે છે અને તે થકી વિપરીત નીચ ગોત્રને બાંધે છે. ૧૪. પ્રાણીવને વિષે રક્ત જિનપૂજા, દાન, ભોગાદિકને વિષે વિન કરનાર અંતરાય કર્મને બાંધે છે, તેથી ઇચ્છિત વસ્તુને તે મેળવી શકતો નથી. ૧૫. એ પ્રમાણે પાપકર્મબંધના હેતુભૂત અને ભવભ્રમણ કરનારી પ્રકૃતિઓ છે. તેને વિવેકી પુરુષોએ ત્યાગ કરવા લાયક છે. ૧૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy