SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ પહેલાં અહિંસા વ્રતના પાંચ અતિચારો નીચે મુજબ કહેલા છે. ક્રોધ વડે કરી બંધ ૧, છવિચ્છેદ ૨, અધિક ભારનું આરોપણ ૩, પ્રહાર ૪, અને અનાદિકનો રોધ ૫, એ પાંચ અતિચાર છે. બીજા મૃષાવાદ વ્રતના ત્યાગમાં પાંચ અતિચારો કહેલા છે. સત્ય વચન ઉપર મિથ્યા ઉપદેશ ૧, સહસા અભ્યાખાન ૨, ગુહ્ય ભાષણ, ૩, વિશ્વાસીએ કહેલા રહસ્યનો ભેદ ૪, અને કૂટલેખ ૫, એ પાંચ અતિચાર છે. ત્રીજું વ્રત અસ્તેય ચોરી ન કરવી તેના પાંચ અતિચાર છે ચોરને અનુજ્ઞા આપવી. ૧, ચોરેલી વસ્તુને ગ્રહણ કરવી ૨, શત્રુ રાજયનું ઉલ્લંઘન કરવું, પ્રતિરૂપ વસ્તુનો ભેળસંભેળ કરવો ૪, અને તોલા, માન, માપ ખોટા રાખવા-એ પાંચ અતિચાર છે. ચોથું વ્રત બ્રહાચર્ય છે, તેના પાંચ અતિચાર છે. અપરિગૃહિતાગમન ૧, ઇત્રપરિગૃહિતા ગમન ૨, પરવિવાહકરણ ૩. તીવ્ર કામભોગ અનુરાગ ૪. અને અનંગક્રીડા ૫, એ પાંચ અતિચાર છે. પાંચમું અપરિગ્રહવ્રતના પાંચ અતિચાર છે, ૧ ધનધાન્યના પ્રમાણનું અતિક્રમપણું ૨. તાંબાપીતળ વિગેરેના પ્રમાણનું અતિ ક્રમપણું, ૩ દ્વિપદ ચતુષ્પદના પ્રમાણનું અતિક્રમપણું ૪. ક્ષેત્રવસ્તુના પ્રમાણનું અતિક્રમપણું, પ રૂપ્ય સુવર્ણના પ્રમાણનું અતિક્રમપણું એ પાંચ અતિચાર છે. તે પાંચ અતિચારો અનાજના નાના મોટા માપ કરવાથી, દ્વિપદ, ચતુષ્પદના ગર્ભ ધારણ કરવાથી એલીવૃદ્ધિથી, તામ્રાદિકના ભાજનો નાના મોટા કરવાથી, ક્ષેત્ર કે ઘર વિગેરેની ભીંત કે વાડ વચ્ચેથી કાઢી નાખી એકત્ર કરી દેવાથી અને રૂપ્ય, સુવર્ણ કોઇને આપી દેવાથી લાગે છે, માટે તે પાંચ અતિચાર વ્રત ગ્રહણ કરનારે લગાડવા યોગ્ય નથી. ૧. સ્મૃતિ ન રહેવી ૨. ઉપર જવાના, ૩. નીચે જવાના, ૪. તિચ્છ જવાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું, પ. ક્ષેત્રની હાનિ વૃદ્ધિ કરવી તે પાંચ છઠ્ઠા દિવિરતિ વ્રતના અતિચારો છે. જ ૧૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy