SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સોપાન પંક્તિ, વિચિત્રશાલા, ગવાક્ષ ગુપ્ત, પ્રકટ અનેક અપવર્ગ, કુટ્ટિમ તલાદિ અલંકૃત વિવિધ ધવલ ગૃહાદિકે પરિપૂર્ણ હોય છે. ૧૦ અણિયંગા નામે કલ્પવૃક્ષ સુકમાલ દેવદુષ્યાનુકારી પ્રચૂર પ્રધાન વસ્તુઓથી પરિપૂર્ણ હોય છે. એ દસ પ્રકારના કલ્પવૃક્ષો યુગલીયાની મનકામના પૂરે છે. તે યુગલીયાઓને છેલ્લે સમયે ઉધરસ, છીંક, બગાસુ ઇત્યાદિક નિમિત્તથી નિરાબાધપણે મરણ હોય છે અને તે યુગલિયાઓ મરીને ભુવનપતિથી માંડીને ઇશાન દેવલોક સુધી જાય છે. એટલે અંતરદ્વીપમાં જન્મેલાઓ ભુવનપતિ અને વ્યંતરો સુધીમાં જાય છે. હૈમવંત અને હિરણ્યવંતમાં જન્મેલાઓ સૌધર્મ દેવલોક સુધી જાય છે અને હરિવર્ષ રમ્યક, દેવકુરુ અને ઉત્તરકુરુમાં જન્મેલાઓ ઇશાન દેવલોકમાં જાય છે, કારણ કે ઇશાન દેવલોકને વિષે જઘન્ય આયુષ્યની સ્થિતિ પલ્યોપમથી અધિક હોય છે અને પોતાના યુગલિકપણામાં જેટલું આયુષ્ય હોય તેટલા આ યુષ્યવાળા અગરહીન આયુષ્યવાળા થઈ દેવપણે ઉત્પન્ન થાય છે. સંખ્યાતાવર્ષના આયુષ્યવાલા મનુષ્ય તિર્યંચો મરીને યુગલિયા પણે ઉત્પન્ન થાય છે. યુગલિયાઓનો આહાર પહેલે આરે તુવેરના દાણા જેટલો હોય છે. બીજે આરે બોર જેટલો હોય છે. ત્રીજે આરે આંબળા જેટલો હોય છે. આ સર્વ તુવર, બોર, આંબળા આરા પ્રમાણે જાણવા. (ઉપદેશ અઠાવનમો) ધર્મસ્વરૂપ અને શ્રાવવ્રત આધિ, વ્યાધિ, જરા અને મરણરૂપી સેંકડો વાળાઓથી આકુળ એવો સંસાર, સર્વ જીવનો દેદીપ્યમાન અગ્નિ જવાળા જેવો છે, તેથી તેમાં પંડિતોએ લેશમાત્ર પણ પ્રમાદ કરવો યુક્ત નથી, કારણ કે રાત્રિએ ૧૫૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy