SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કુંચી સમાન છે, હિંસાબને માત્ર મનમાં યાદ કરવાથી દુખોને આપનારી છે,તો વિશેષ આદરવાથી દુર્ગતિના દર્શન કરાવે છે તેમાં નવાઈ શી ? જે માણસો હાથી, ઘોડા, રથ, પાયદળ, રાજ્ય, ઋદ્ધિ વિગેરેનો પોતાના સુખને માટે નાશ કરે છે, તે અજવાળું કરવાથી આશાએ પોતાનું ઘર બાળી દે છે. પ્રાણ ઘાસના અગ્નિ જેવા ક્ષણવારમાં બુઝાઈ જનાર છે, માટે તમે કોઈ પાપ કર્મને કરો નહિ. (ઉપદેશ સુડતાળીસમો.) આત્મસ્વરૂપ હે જીવો ! વિવેક રહિત તિર્યંચ પ્રાણીઓને પહેલાં તો પંચેદ્રિયની પૂર્ણતા કઠીન છે, કદાચિત તે થઈ જાય તો જાણવા પણું દુર્લભ છે, કદાચિત તે બન્ને પ્રાપ્ત થયા તો ધર્મ પ્રાપ્ત થવો ઘણો કઠણ છે. પૂર્વજન્મમાં ધર્મની વિરાધના કરી હોય ત્યારે જ તિર્યચપણાને પમાય છે, તિર્યંચ અવસ્થાને વિષે પણ પાપ આચરે તો નરકગતિ થાય છે. ત્યાં પાપી પ્રાણીઓને તપાવેલા લોઢાવડે દઝાડે છે, તપાવેલો સીસાનો રસ પીવો પડે છે. વજન કાંટાવાડે આંકે છે, બંધાવું, છેદાવું, ભેદાવું ઇત્યાદિ અનેક કષ્ટ કરવા પડે છે, માટે તમારે આર્ત તથા રૌદ્ર ધ્યાન આચરવાં નહિ, કોઈ જીવની હિંસા કરવી નહિ, સ્થાવર તથા જંગમ સઘળા જગતને આત્માની પેઠે જોવું, હે મહાનુભાવો ! નિરંતર પાછળ પડેલ મરણ જયાં લગી આવે નહિ ત્યાં સુધી સમગ્ર સંપદાઓ અને રાજ્યાદિક અક્ષય રહેલ છે, પ્રાણ ક્ષણભંગુર છે, શરીર રોગનું મંદિર છે, રાજ્ય સંધ્યાના વાદળા સમાન ચંચળ છે, માટે આત્માના સ્વરૂપનાં વિચાર કરો. આત્મા શરીરનો અર્થ કરે છે, પણ શરીર આત્માનો અર્થ કરનારી નથી. તેથી પંડિત પુરુષો આ સાર વિનાના શરીરથી આત્માના અર્થને સાધી લે છે, મળ, મૂત્ર, માંસ, રૂદિર પરૂ, હાડ, ચામ,મજજા આદિને નવદ્વારથી વહન કરનાર, અને રોગોથી પૂર્ણ ભરેલ ચંચળથી પણ ચંચળ અપવિત્રથી પણ અપવિત્ર, દુર્ગધમય એવા શરીરને માટે, ૧૩૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy