SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ (ઉપદેશ સાડત્રીસમો.) છૂટી ઇંદ્રિયોનું ફળ રાજ્ય, ભોગ, વિષયભોગની તૃષાવાળો જીવ, આર્તધ્યાનાદિકથી પીડા પામી નરકને વિષે જાય છે. જાતિમદથી મદોન્મત થયેલા જીવો મરીને કૃમિ જાતિને વિષે ઉત્પન્ન થાય છે. કુળનો મદ કરવાથી શીયાળ પણે ઉત્પન્ન થાય છે. રૂપનો મદ કરવાથી ઊંટ આદિ યોનિમાં ઉત્પન્ન થાય છે. બળનો મદ કરવાથી મરીને પંતગીયા થાય છે. બુદ્ધિનો મદ કરવાથી મરીને કુકડા થાય છે. રિદ્ધિનો મદ કરવાથી મરીને કૂતરા વિગેરે થાય છે. સૌભાગ્યનો મદ કરવાથી સર્પ, કાગડા વિગેરે થાય છે. જ્ઞાનનો મદ કરવાથી મરીને બળદ થાય છે. ક્રોધ કરનારા મરીને અગ્નિને વિષે ઉત્પન્ન થાય છે. માયા કરનારા મરીને બગલાપણે ઉત્પન્ન થાય છે. લોભી માણસો મરીને ઉંદરડા થાય છે. મનદંડથી મનના અત્યંત દુષ્ટ પરિણામવાળો જીવ મરીને તંદુલીયા મચ્છપણે ઉત્પન્ન થાય છે. વચનના દંડથી પોપટ, સારિકા, તેતર વિગેરે થઈ બંધનમાં પડે કાયદંડથી મોટા મોટા માછલા અને બીલાડા થાય છે. અને નાના પ્રકારના પરાક્રમો કરી નરકે જાય છે. | સ્પર્શેન્દ્રિયના લોલુપી જીવો મરીને વનને વિષે ભંડપણે ઉત્પન્ન થાય છે. રસેંદ્રિયના લોલુપી જીવો મરીને વાઘ થાય છે. ધ્રાણેદ્રિયના લોલુપી જીવો મરીને સર્પ થાય છે. M૧૧૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy