SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તેઓના નેત્રને તેના નિમેષ માત્ર જેટલા લાખ વર્ષ સુધી વજમુખવાળા પક્ષીઓ તીક્ષ્ણ દાંતવડે કરીને ખણે છે. જેઓ એક આવાસને વિષે રહેલા પોતાના કુટુમ્બને વિષે અત્યંત નિદર્યપણું ગુજારે છે, તથા કુટુંબીઓ સાથે કલેશ કરીને, તથાતેમનાદ્રવ્યને હરણ કરીને, તથા તેમનાથી અલગ રહીને એકાકી પણે તે દ્રવ્ય ખાય છે તેમજ જેઓ એક જ સાર્થને વિષે આવ્યા છતાં પણ અને બીજા ભૂખ્યા છતાં પણ જેનાથી અળગ બેસી પોતેખાય છે, તથા જે પૈસા પાત્રો પૈસા રહિતપોતાના ભાઈઓની ઉપેક્ષા કરી દ્રવ્યને ખાય, તેઓ એકવાર ભોજન કરવામાં જેટલાકોળિયાના આહાર કરે છે, તેટલા કોળિયાની લાંઘણ થાકી પછી, તેના મુખમાં પરમાધામી વિષ્ટારૂપી ઉચ્છિષ્ટ પદાર્થ નાખે છે, જે માણસોએ જેટલીવાર જેના ઉપર પૂર્વભવને વિષે દ્રોહ કરી ભોજન કરેલ હોય તે માણસને તેટલી વાર નરકને વિષે કદર્શન થાય છે. જે માણસો અપરાધ રહિત જીવોને મારી તેનું માંસ ખાય છે, તે માણસોતેના રોમ સમાન તેટલા હજાર વર્ષ સુધી તપાવેલા તાંબાના કકડાનું ભોજન કરનાર થાય છે. જે માણસો રાત્રિને વિષે લોકો નિદ્રા કરી ગયા પછી. અગ્નિ મૂકે છે, તે માણસોના દેહને પરમાધામી લોઢાના તપાવેલા ઉંદરનું રૂપ કરી બાળી મૂકે છે. જે માણસો બીજી સ્ત્રીને આધીન થઇ, પોતાની સ્ત્રીને સંતાપી ત્યાગ કરે છે તેના દેહને પરમાધામી તપાવેલા તેલવડે સીંચે છે. | ઇત્યાદિ પ્રકારે, નરકને વિષે અનેક કોટાકોટી જે મહાન દુખો છે, તેને કોટી વર્ષે પણ કોઈ વર્ણવી શકનાર નથી, નારકીના જીવોને નરકને વિષે જે વેદનાઓ થાય છે તેથી તેઓ પાંચસો-પાંચસો યોજન, ઊંચ ઉછળી નીચા પડે છે. કિંબહુના ચક્ષુ મીચીને ઉઘાડે એટલે માત્ર પણ નરકના જીવોને સુખ નથી. ૧૧૭ ૧૧૭ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy