SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તે જટિલના મૂર્ખ શિષ્યની જેમ હાસ્ય કરવા યોગ્ય થાય છે ઇંડાં જટિલમૂર્ખ શિષ્ય દષ્ટાંત કહેવું. (૪) ઉપયોગી પણાથી અભ્યાસને અનુકૂળ એવી ક્રિયા કરવી તે, તહેતુ અનુષ્ઠાન જાણવું, તે આનંદ શ્રાવક વિગેરેની જેમ. (પ) મોક્ષને અર્થે યથાર્થ વિધિપૂર્વક જે તપ, ક્રિયાદિ કરવું તે અમૃત અનુષ્ઠાન,વીતરાગ સંયમીઅર્જુન માળી વિગેરેની જેમ જાણવું. આ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનમાં પહેલા ત્રણ ત્યાગ કરવા યોગ્ય છે અને છેલ્લા બે સ્વીકારવા યોગ્ય છે. એવી રીતે બીજા પણ અનુષ્ઠાનનાં ચાર પ્રકાર છે. (૧) જે પ્રીતિ રસવડે કરાય. અને અતિરુચિથી વધે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. તે સરલ સ્વભાવથી જીવોને હંમેશા ક્રિયામાં થાય (૨) બહુમાનથી ભવ્ય જીવો પૂજય ઉપરની પ્રીતિવડે જે કરે તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનમાં એટલો તફાવત છે કે સ્ત્રીનું પાલન પ્રીતિથી થાય છે અને માતાની સેવા ભક્તિથી થાય છે. (૩) સૂત્રના વચનથી જે ક્રિયા કરવામાં આવે તે વચન અનુષ્ઠાન કહેવાય છે તે સર્વત્ર આગમને અનુસાર પ્રવૃત્તિ કરવારૂપ હોવાથી ચારિત્રધારી સાધુને હોય છે, પાસત્કાદિકને હોતું નથી. (૪) જે અભ્યાસના બળથી શ્રુતની અપેક્ષા વગર ફળની ઇચ્છા વગર જિનકલ્પિની જેમ, યથાર્થ કરે તે અસંગઅનુષ્ઠાન કહેવાય છે. વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનમાં એટલો તફાવત છે કે, કુંભારના ચક્રનું ભ્રમણ દંડના સંબંધથી થાય છે, તેની જેમ વચન અનુષ્ઠાન અને પછી જે ચક્રનું ભ્રમણ, દંડના સંયોગ વિનાકેવલ સંસ્કાર માત્રથી થાય છે. તેની જેમ અસંગ અનુષ્ઠાન એટલે જે શ્રુત સંસ્કારથી ક્રિયાકાળે વચનની અપેક્ષા વગર થાય, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. આ EE Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy