SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ છોડ્યો નહિ, અને ગામના લોકોને ભેગા કરી મુનિને કલંક આપવા લાગી. મુનિ પણતે દેવના આગમનની રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા, એટલામાં તે વણકર દેવ પોતાના ગુરુના ઉપકારનું સ્મરણ થતાં તત્કાળ ત્યાં આવ્યો અને ગામના લોકોને તથા પોતાની સ્ત્રીઓને સર્વ વૃત્તાંત કહીને તેમની શંકા દૂર કરી ગુરુને નમી સ્તવીને સ્વર્ગે ગયો. ચોથો અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા એટલે સૂત્રાર્થનો મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં ધ્યાન કરવું તે કાર્યોત્સર્ગાદિકમાં, અને સ્વાધ્યાયને દિવસે, મુખે પરાવર્તન થઈ શકે નહિ તે વખતે અનુપ્રેક્ષાવડે જ શ્રત, સ્મૃતિ વગેરે થાય છે, પરાવર્તન કરતાં અનુપ્રેક્ષા અધિક ફળદાયી છે, કેમકે અભ્યાસના વશથી મન શૂન્યપણું છતાં પણમુખવડેપરાવર્તનાથઈ શકે છે અને અનુપ્રેક્ષા તો મને સાવધાન હોય ત્યારે જ થઈ શકે છે. મંત્રીની આરાધના વિગેરેમાં સ્મરણ અનુપ્રેક્ષાથી જ વિશેષ સિદ્ધિ થાય છે કહ્યું છે. संकुला द्विजने भव्यः, सशब्दान्मौनवान्शुभः । મૌનનનાનાન: શ્રેણ, નાપ: સ્નાધ્યઃ પર: પર: શા ભાવાર્થ : ઘણા માણસોમાં રહીને જાપ કરવો, તે કરતાં એકાંતે કરવો તે શ્રેષ્ઠ છે, તેમાં પણ મુખથી બોલીને કરવા કરતાં મૌન ધારણ કરી કરવો તે શ્રેષ્ઠ છે, મૌન જાપ કરતાં પણ મનથી જાપ કરવો તે શ્રેષ્ઠ છે, એવી રીતે ઉત્તરોત્તર જાપ વખાણવા લાયક છે. સંલેખના, અનશન વિગેરે કરવાથી બહુ ક્ષીણ શરીરવાળા થઈ જવાને લીધે, પરાવર્તનાદિક કરવાની શક્તિ રહેતી નથી, ત્યારે અનુપ્રેક્ષાએ કરીને જ પ્રતિક્રમણ વિગેરે નિત્ય ક્રિયા થાય છે, તેથી ઘાતકર્મનો ક્ષય થઈને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને પ્રાંતે સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે, - પાંચમો ધર્મકથા નામનો સ્વાધ્યાય છે. ધર્મકથા એટલે ધર્મના ઉપદેશ અને સૂત્રાર્થની વ્યાખ્યા કરવી તથા સાંભળવી તે. ધર્મકથા નંદિષણતી પેઠે કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy