SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તપેલી રેતીમાં અણસણ કરી પાંચમા બ્રહ્મ દેવલોકે ઈંદ્રસમાન દેવતા થયા, ભગવતી સૂત્રે પણ એમજ કહેલ છે. ' પપાતિક સૂત્રે બાર દેવલોકના દસ વિમાનો નીચે મુજબ છે. ૧,પાલક ૨, પુષ્પક ૩, સૌમનસ ૪, શ્રીવત્સ ૫, નંદ્યાવર્ત ૬, કામગમ ૭, પ્રીતિગમ ૮, મનોરમ ૯,વિમલ અને ૧૦, સર્વતોભદ્ર. ઉવવાઈ સૂત્રે કોણિકને સુજાત તથા વિનીત પુત્ર કહેલ છે. પિતાને દુ:ખ દીધું છે તે પૂર્વભવના નિયાણાના યોગે, પણ પાછળથી ઘણો પશ્ચાતાપ થયો છે. ભગવાન વિચરે ત્યારે રસ્તામાં ધર્મચક્ર આગળ ચાલે. મસ્તક ઉપર ત્રણ છત્ર ચાલે. બન્ને બાજુ ચામરો ચાલે. પાદપીઠ સહિત સિહાસન ચાલે. ધર્મધ્વજ આગળ ચાલે દેવતાઓ પણ જઘન્યથી કોટી સાથે હોય અને ચોત્રીશ અતિશય યુક્ત તથા પાંત્રીશ વચન વાણી સંયુક્ત હોય. ઉવવાઈ સૂત્રે. - અનાશાતના વિનય કહ્યો છે. તથા જીવને જઘન્ય ઉપયોગ એક હોય. ઉવવાઈ સૂત્રે. કેવલીમુદ્દઘાત કરે ત્યારે ત્રીજો,ચોથો, પાંચમો એ ત્રણ સમયે અણાહારી હોય. ઉવવાઈ સૂત્રે. રાયપણેણી સૂછે કેશી ગણધર મહારાજે પ્રદેશી રાજાને કહેલ છે કે તે પ્રદેશી રાજા ! તું પ્રથમ મનોજ્ઞ થઈ, પાછળથી અમનોજ્ઞ નથી એટલે અનુકંપાદાન ભગવાને નિષેધ કરેલ નથી. કેશી ગણધરને ચાર જ્ઞાનવાળા કહેલ છે. રાયપાસેણી સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર ત્રણ જ્ઞાનવાળા કહેલ છે. M 300 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy