________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૭. વચનપુણ્ય-ગુણી પુરુષોના ગુણગ્રામ કરવાથી પુણ્ય થાય. ૮. કાયપુણ્ય-કાયાએ કરી દેવગુરુની ભક્તિ કરવાથી પુણ્ય
થાય.
૯. નમસ્કારપુણ્ય-દેવગુરુસ્વામી ભાઈને નમસ્કાર કરવાથી પુન્ય થાય.
એ નવ પ્રકારે પુણ્ય બંધાય છે. ઠાણાંગસૂત્રે નિયુક્તિ પ્રમુખ સૂત્રને મળે છે. ઇતિ ઠાણાંગ ટીકાયામ્
૧. માતાપિતાનો. ૨. શેઠનો ૩. ધર્માચાર્ય ગુરુનો ઉપકાર અનિવાર્ય છે. ઠાણાંગ સૂત્રે ત્રીજે ઠાણે
આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રો ૧. મિત્રવાહન ર. સુભૂમ. ૩. સુપ્રભ ૪ સ્વયંપ્રભ પ. દર ૬. સુધર્મ ૭. સુબંધુ એ નામના સાતકુલકરો થશે અને વ્યવહારદિક ચલાવશે. ઠાણાંગ સાતમે ઠાણે
ધર્મ અને પુણ્યમાં તરતમતા છે. ધર્મ ગ્રુત ચારિત્રાદિક કહેવાય છે, અને અન્ન પુણ્યાદિક પુન્ય નવ પ્રકારે કહેલ છે.
૧. અન્નપુણ્ય ૨. પાનપુણ્ય ૩. વસતિપુણ્ય ૪. આલય પ. શયન ૬. આસન ૭. શુશ્રુષા ૮ વંદન અને ૯. તુષ્ટ ઠાણાંગે નવમે ઠાણે
( સમવાયાંગસૂબે તથા પ્રવચનસારોદ્વારે) સમવસરણમાં દેવતાએ કરેલ પુષ્પની વૃષ્ટિ સચિત્ત છે કે અચિત્ત તે સંબંધી વિચાર.
પ્રશ્ન - સમવસરણમાં દેવતાએ કરેલ પુષ્પની વૃષ્ટિ સચિત્ત છે કે અચિત્ત ?
ઉત્તર : પ્રાયઃ કરીને જલ સ્થલરૂપ સચિત્ત સંભાવ્યતે
શ્રી સમવાયાંગ સૂત્રે ચોત્રીશ અતિશયને અધિકારે કહ્યું છે કે જલસ્થલ સંબંધી સચિત્ત પુષ્પો નીચે બીટ રહેલા પાંચ પ્રકારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org