SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઋષભદેવજી નિર્વાણ પામ્યા પછી,૮૯ પખવાડીયા ગયા પછી,૪૨૦૦૦ વર્ષ અધિક, ૮૯ પખવાડીયા ઓછા, એક કોડાકોડી સાગરોપમે વીર મોક્ષે ગયા, તે કેમ ? ૪૩. સુયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે, આધાકર્મી આહાર કહેતો. કર્મે લેપાય અને ન પણ લેપાય, એ એક ગાથામાં બે વાત કહી તે કેમ ? ૪૪.વળી એહીજ સૂત્રમાં કર્મે ન લેપાય કહ્યું છે, અને ભગવતી પ્રથમ શતકે, નવમે ઉદેશે. આધાકર્મી આહાર કરતો, સાત કર્મ બાંધે, શિથિલ હોય તો ગાઢ કરે ઈત્યાદિ, ત` કેમ ? ૪૫.વળી સમવાયંગ સૂત્રે, ૩૩ હજાર યોજન કાંઈક ઉણું, ચક્ષુ સ્પર્શે સૂર્ય આવે. એમ કહ્યું છે, અને જંબુદ્વિપ પક્ષતિમાં, ૩૨૦૦૧ યોજન જાજેરો કહ્યો છે, તે કેમ ? ૪૬.સમવાયંગ સૂત્રે, મેરૂના ૧૬ નામો કહેલા છે, તેમાં આઠમું પ્રિયદર્શન કહ્યું છે, તથા ચૌદમું ઉત્તમ કહ્યું છે, અને જંબુદ્વિપ પન્નતિમાં પણ, ૧૬ નામ છે, ત્યાં આઠમું શિલોચ્ચય કહ્યું છે, અને ચૌદમું ઉત્તમ કહ્યું, તે કેમ ? ૪૭.પન્નવણા ૧૯ મેં પદે, છદ્મસ્થને, અણાહારીના ઉત્કૃષ્ટા. ૨૦ સમય કહ્યા છે, અને ભગવતીમાં, ઉત્કૃષ્ટ અણાહારીના ૩ સમય કહ્યા છે, તે કેમ ? ૪૮.એમ જીવાભિગમસૂત્રે, ૨ સમય કહેલા છે. ભગવતી સૂત્રે ૩. સમય કહેલા છે તે કેમ ? ૪૯.સમવાયંગ સૂત્રમાં, શ્રમણ ભગવાન મહાવીર મહારાજને, ૪૨ વર્ષ જાજેરો દીક્ષા પર્યાય કહ્યો છે, અને પર્યુષણા કલ્પમાં, ૪૨ વર્ષ પુરા કહ્યા છે, તે કેમ ? ૫૦.જીવાભિગમ સૂત્રે, રૂચકદ્વિપથી, અસંખ્યાતુમાન કહ્યું છે, અને જીવાભિગમ લેખે વાણ, વિમણા, ગણતા, ૧૦૪૮૫૭૬OOOO યોજન માન આવે તો, રૂચક દ્વિપથી અસંખ્યાતું કેમ થયું ? ૫૧.સમવાયંગ સૂત્રે, ૩૮ મેં સમવાયે, મેરૂનો બીજો કાંડ ૩૮૦૦૦ યોજન ઉંચો કહ્યો છે, અને ૬૧ મે સમવાયે પ્રથમ કાંડ Jain Education International ૨૦૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy