SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સમવસરણમાં ભાવ અરિહંત બીરાજે છે. અને ત્રણ દિશાયે તેમના પ્રતિબિંબ એટલે સ્થાપના અરિહંત બીરાજે છે. ૧૮૦.શ્રી ઠાણાંગ સૂત્રમાં સ્થાપના સત્ય કહેલ છે. ૧૮૧. શ્રી ભગવતીસૂત્રમાં તુંગીયા નગરીના શ્રાવકોયે જિનપ્રતિમા પૂજ્યાનો અધિકાર છે. ૧૮૨.શ્રી જ્ઞાતા સૂત્રમાં દ્રોપદીયે જિનપ્રતિમાની સત્તર ભેદી પૂજા કર્યાનો અધિકાર છે. ૧૮૩. શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આણંદાદિ દસ શ્રાવકોયે જિન પ્રતિમા વાંદી પૂજી છે. એવો અધિકાર છે. ૧૮૪.શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સાધુ જિન પ્રતિમાની વૈયાવચ્ચ કરે એમ કહેલ છે. ૧૮૫. શ્રી ઉવવાઈ સૂત્રમાં ઘણા જિન મંદિરોનો અધિકાર છે. ૧૮૬. શ્રી ઉવવાઈ સૂત્રમાં અંબડ શ્રાવકે જિનપૂજા કરી છે. તથા વંદન કરેલ છે-એવો અધિકાર છે. ૧૮૭. શ્રી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભદેવતાયે જિનપ્રતિમા પૂજી છે તેવો અધિકાર છે. ૧૮૮.શ્રી જીવાભિગમસૂત્રમાં વિજયદેવતા આદી દેવતાઓયે જિન પ્રતિમા પૂજ્યાનો અધિકાર છે. ૧૮૯ શ્રી રાયપરોણી સૂત્રમાં ચિત્ર સારથી તથા પ્રદેશી રાજાયે બન્ને શ્રાવકોયે જિનપૂજા કરી છે. તેવો અધિકાર છે. ૧૯૦.શ્રી જંબૂઢીપ પન્નત્તિ સૂરામાં યમક દેવતા આદિયે જિનપ્રતિમા પૂજેલ છે. એવો અધિકાર છે. ૧૯૧ શ્રી દશવૈકાલિક સૂત્રમાં શય્યભવસૂરિ જિનપ્રતિમા દેખી બોધ પામ્યા તેવો અધિકાર છે. ૧૯૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનની નિર્યુક્તિમાં ગૌતમસ્વામી મહારાજશ્રી અષ્ટાપદની યાત્રા કરવા ગયા એમ કહ્યું છે. ૧૯૩.શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ માં અધ્યયનમાં થર્ થ મંત્ર માં સ્થાપના વાંદરી કહેલ છે. ૧૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy