________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગયા છે. શત્રુંજય મહાભ્યમાં પણ આ વાત છે.
૬૫. પાંચમાં અધ્યયનમાં કહેલું છે કે કૃષ્ણ મહારાજે થાવગ્સાપુત્ર સાથે દીક્ષા લેનાર એક હજારનો તથા થાવસ્યા પુત્રનો દીક્ષા મહોત્સવ કર્યો છે. એક હજાર લોકોના ઘરની સંભાળ રાખી છે.
૬૬. સોળમાં અધ્યયનમાં કહેલ છે કે દ્રોપદીયે કાંપિલ્યપુરના મોટા જૈન મંદીરમાં જઈ જિનપ્રતિમાની જળ,પુષ્પ, ધૂપ, દીપ, ચંદન દ્રવ્યાદિ પૂજાવડે પૂજા કરી છે તથા નમુથુણાદિ તીર્થકરના ગુણગણવર્ણનાદીથી ભાવપૂજા કરી છે.
૬૭. સોલમાં અધ્યયને કહેલું છે કે શ્રી નેમિનાથ મહારાજ ગીરનાર ઉપર મોક્ષે ગયા સાંભળી પાંચે પાંડવો અણસણ કરી સિદ્ધગિરિ ઉપર મોક્ષે ગયા છે.
૬૮. બીજા શ્રુતસ્કંધના દશમા વર્ગમાં કહેલ છે કે, જે દેવીયો તેમાં કહેલી છે તેમણે ભક્તિ માટે મહાવીર મહારાજ પાસે નાટક કરેલું છે.
શ્રી ઉપાશદશાસૂત્ર ૮ ૬૯. દસમા અધ્યયને કહેલું છે કે, દસ શ્રાવકોયે અરિહંતની પ્રતિમાને વંદના-નમસ્કાર કરેલા છે.
અંતગડસૂત્ર ૯ ૭) પ્રથમ વર્ગના દશમા અધ્યયનમાં કહેલું છે કે, ગૌતમાદિ દસ મુનિયો સિદ્ધગિરિ ઉપર મોક્ષે ગયા છે.
૭૧. બીજા વર્ગના આઠમાં અધ્યયનમાં કહેલું છે કે અક્ષોભકુમારાદિ આઠ મુનિયો સિદ્ધાચળ પર મોક્ષે ગયા છે.
૭૨. ત્રીજા વર્ગના તેરમા અધ્યયનમાં કહેલું છે કે, ગજસુકુમાલને છોડીને બાર અધ્યયનમાં કહેલ મુનિયો સિદ્ધાચલ પર મોક્ષે ગયા છે. - ૭૩. ચોથા વર્ગના દસમા અધ્યયને કહેલું છે કે, દસ મુનિયો શત્રુંજય પર મોક્ષે ગયા.અહીં શત્રુંજય પર કહેલ છે જ્ઞાતાસૂત્રના પાંચમા અધ્યયનમાં પુંડરીક પર્વત કહેલ છે. શત્રુંજય મહાત્યમાં, M૧૭૬
~
૧૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org