SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કહેલ છે. તેના આઠ આચાર ઉત્તરાધ્યયનજી સૂર વિગેરેમાં છે. ૫૦. દસમાં ઠાણામાં દસ પ્રકારે ઔદારિક શરીરની અસજઝાય કહી છે. તેમાં મલ, મૂત્ર તથા ઋતુધર્માદિકની અસજઝાય છે. - ૫૧. દસમા ઠાણામાં દસ પ્રકારના સત્ય કહેલા છે. તેમાં પણ સ્થાપના સત્ય અરિહંતની પ્રતીમા સમજવી એમ કહેલ છે. - શ્રી સમવાયંગજી સૂત્ર પ૨. બારે અંગની નોધ છે તથા ઉપાસકદશાંગની નોંધમાં શ્રાવકના ચૈત્ય અર્થાત્ મંદિર તથા પ્રતિમાજી કહેલ છે. પ૩.વર્તમાન ચોવીશીના ત્રશઠ શલાકા પુરુષોના નામ છે. ને ત્રેસઠ શલાકા પુરુષ શાસ્ત્રમાં, અષ્ટાપદે ઉપર રાવણે ભક્તિ માટે જિનમંદિરમાં નાટારંભ વિગેરે કહેલ છે. શ્રી ભગવતીસૂત્ર - ૫૪. બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં કહેવું છે કે, તુંગીયા નગરીના અનેક શ્રાવકોએ પ્રતિમા પૂજા કરી છે, ત્યાં સ્થવીરોના નામ ગોત્ર સાંભળવાથી મહાફલ કહેલ છે. તથા સન્મુખ જવું, તેમજ વંદન નમસ્કારનું વિશેષ ફલ કહેલું છે. ૫૫.ત્રીજા શતકના બીજા ઉદેશમાં કહેલું છે કે, અસુરકુમાર દેવતાઓ સુધર્મા દેવલોકમાં ૧ અરિહંત.ર અરિહંતની પ્રતિમા, ૩ ભાવિતાત્મા અણગારની નિશ્રાયે જાય છે ત્યાં અરિહંત તથા અરિહંતની પ્રતિમામાં ભેદ નથી. પ૬. નવમા શતકના ત્રેવીસમા ઉદેશામાં કહેવું છે કે જે ઉસૂત્રની પ્રરૂપણા કરે છે તે ચાર ગતીમાં પરિભ્રમણ કરે છે. તે પ્રદેશમાં ચૈત્યને પ્રતિમા મહોત્સવ કહેલા છે. ૫૭. દશમા શતકના પાંચમા ઉદેશામાં કહેવું છે કે -અમરેન્દ્ર સુધર્મા સભામાં અપ્સરાઓ સાથે મૈથુન સેવતો નથી કારણ કે ત્યાં તીર્થકરોની અશાશ્વતી દાઢાઓ અર્ચનીય, વંદનીય સત્કારણીય તથા ૧૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy