SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અચિરા માતાયે પ્રથમ ચૌદ સ્વપ્રો ઝાંખા જોવાથી ચક્રવર્તિ અને ફરીથી ઉજજવલ ચૌદ સ્વપ્રો જોવાથી, તીર્થકર આમ એક ભવમાં બે પદવી પામનારા શાન્તિનાથ મહારાજને જન્મ આપ્યો. ત્રિષષ્ટિ શલાક પુરૂષ ચરિએ પ્રથમની પોરિસીમાં તીર્થકર મહારાજની દેશના થયા પછી. પ્રભુના પાદ પીઠ ઉપર બેસીને, શ્રી ગણધર મહારાજા પણ બીજી પોરિસીમાં પ્રથમની માફક જ બેઠેલી બાર પર્ષદાની સમક્ષ પ્રભુના જેવીજ લીલાથી, વૈરાગ્ય આદિ રસને ઝરતી ધર્મ દેશના કરે. ઈતિશ્રી હેમચન્દ્રાચાર્ય બાર ચક્રવર્તિઓ પૈકી પહેલા ભરત ચક્રવર્તિ, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના સમયમાં થયા.બીજા સગર ચક્રવર્તિ શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં થયા. ત્રીજા મઘવા ચક્રવર્તિ અને ચોથા સનકુમાર ચક્રવર્તિ પંદરમાં શ્રી ધર્મનાથ મહારાજા અને સોલમાં શ્રી શાન્તિનાથ મહારાજાના અંતર સમયમાં થયા. પાંચમાં છઠ્ઠા અને સાતમા ચક્રવર્તિ સોલમાં સત્તરમાં અને અઢારમાં શ્રી તીર્થકર દેવો જ થયા અર્થાત્ સોલમાં શ્રી શાન્તિનાથ સત્તરમાં શ્રી કુંથુનાથ અઢારમાં, શ્રી અરનાથ પાંચમાં છઠ્ઠા અને સાતમા ચક્રવર્તિ થયા. આઠમા ચક્રવર્તિ શ્રી અરનાથ તથા મલ્લિનાથ સ્વામીના અંતર સમયમાં થયા, નવમા શ્રી પાચક્રવર્તિ અને દસમા શ્રી નમિનાથ મહારાજના આંતર સમયમાં થયા છે, અગ્યારમા જય નામના ચક્રવર્તિ, શ્રી નમિનાથજી તથા નેમિનાથજીના આંતર સમયમાં થયેલ છે. અને બારમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિ બાવીશમાં નેમિનાથ સ્વામી તથા વેવીશમાં પાર્શ્વનાથ સ્વામીના અંતર સમયમાં થયેલ છે. આ બાર ચક્રવર્તિઓ પૈકી ત્રીજા મઘવા નામના અને ચોથા સનકુમાર નામના ચક્રવર્તિ નામના ચક્રવર્તિ મહાપુરૂષો પટ ખંડના સામ્રાજયનો ત્યાગ કરી, ચારિત્રનું પાલન કરી, ત્રીજા દેવલોકમાં ન ૧૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy