SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અધ્યાત્મસાર ગ્રંથે જેમ સિંહને સૌમ્યપણું દુર્લભ છે અને સર્પને ક્ષમા દુર્લભ છે. તેમ વિષયમાં પ્રવર્તમાન થયેલા જીવોને વૈરાગ્ય દુર્લભ છે. અર્થદીપિકાયામ્ અધર્મની પ્રશંસા કરવાથી શ્રાવકોને ભવભ્રમણ કરવા પડે છે. અઢીદ્વીપાધિકારે ૧ નદી, ૨ દ્રહ, ૩ મેઘ, ૪ ગર્જારવ, ૫ અગ્નિ, ૬ તીર્થંકર ગણધર આદિ મનુષ્યો, ૭ જન્મ, ૮ મરણ, ૯ રાત્રિ-દિવસ અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્રે એ નવ હોય છે. જંબૂ મહાવિદેહમાં સદા ચોથો આરો જેનો કાળ હોય છે. પાંચસો ધનુષ દેહમાન,પૂર્વ કોડી વર્ષનું આયુષ્ય નિરંતર આહાર કરે જંબૂમાં ૪ તીર્થંકર મહારાજ છે. પૂર્વ વિદેહના વનમુખ સમીપ પુષ્કલાવતી વિજયે પુંડરકિણી નગરી છે ત્યાં સીમંધરસ્વામી વિહરમાન છે. ૧ પશ્ચિમવિદેહના વનમુખ પાસે પચીશમી વપ્રા વિજયે વિજયાનગરી છે. ત્યાં યુગમંધર સ્વામી વિહરમાન છે. ૨ પૂર્વવિદેહમાં વનમુખ સમીપ નવમી વછવિજયે સુસીમાનગરી છે. ત્યાં બાહુસ્વામી વિહરમાન છે. ૩ પશ્ચિમ વિદેહ, વનમુખ સમીપ ચોવીશમી વિજયા મલીનાની અને અયોધ્યા નગરી છે. ત્યાં ત્યાં સુબાહુ સ્વામી વિહરમાન છે. ૪ એમ જંબુદ્રીપમાં ૪ તે વખતે ધાતકીખંડમાં બે મેરૂ અને બે મહાવિદેહ છે. તે વખતે ચાર તીર્થંકર પૂર્વ વિદેહમાં તથા ચાર તીર્થંકર પશ્ચિમ મહવિદેહમા એવી રીતે ૮ તીર્થંકરો થયા. પુષ્કરાર્ધમાં બે મેરૂ અને બે મહાવિદેહમાં છે. તેથી પૂર્વ વિદેહમાં ૪ તીર્થંકર તથા પશ્ચિમ વિદેહમાં ૪ તીર્થંકર એવી રીતે પુષ્કરાર્ધમાં આઠ તીર્થંકર થયા. કુલ Jain Education International 69 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy