SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આગમ યુક્ત નથી. જુઓ આઠમ-ચૌદશ-જ્ઞાનપંચમી-પર્યુષણાચોમાસી વિગેરેમાં યથાશક્તિ ઉપવાસ-છઠ-અક્રમાદિક કરે તેમ કહેલ છે. અવિધિથી ચૈત્યવંદન કરનારને પ્રાયશ્ચિત લેવા કહેલ છે, કારણ કે અવિધિથી ચૈત્યવંદન કરનાર માણસ બીજાને અશ્રધ્ધા ઉત્પન્ન કરે જે અવિધિથી દેવોને વંદન કરે તેને પ્રાયશ્ચિત લાગે, આવો ઉપદેશ કરવો.કહ્યું છે કે – અવિધિથી ચૈત્યનેવંદના કરતો બીજાને અશ્રધ્ધા ઉત્પન્ન કરે છે, તેથી વિધિથી ચૈત્યવંદન કરવું. પરમાધામી દેવતા મરીને ૧ મનુષ્ય, ૨ તિર્યંચપચંદ્રિય, ૩ બાદર પૃથ્વીકાય, ૪ અપૂકાય, પ વનસ્પતિ-એ પાંચને વિષે આવે છે. અને મહાનિશીથ સૂત્રમાં કહેલ છે કે પરમાધામી મરીને જલમનુષ્ય થાય છે. સાધુ સાધ્વી રાત્રિએ કાનમાં રૂનું પુંભડું ન રાખે તો પ્રાયશ્ચિત કહેલું છે. નિશીથ સૂત્રે ૧૯ મે ઉદેશે. ભિક્ષુ-સાધુ પ્રાતઃકાલે મધ્યાન્હ સાયંકાળે અર્ધરાત્રિએ સ્વાધ્યાય ન કરે. વ્યવહારસૂત્રોમાં પણ ચાર સંધ્યાને વિષે સ્વાધ્યાય ન કરે તેમ કહેલ છે. દિવસની ત્રણ સંધ્યા અને અર્ધરાત્રિએ સ્વાધ્યાય ન કરે. નિશીથ ભાષ્યને વિષે પણ ઉપર પ્રમાણે કહેલ છે. વળી કહ્યું છે કે –ઉપરોકત ચારે સંધ્યાને વિષે સ્વાધ્યાય કરવાથી લોકને વિષે નિંદાદિક થાય છે. રાક્ષસાદિક ચળે છે અને કર્મબંધન થાય છે અને સ્વાધ્યાય નહિ કરવાથી એટલો ટાઈમ સૂત્ર ભણનારને આશ્વાસન મળે છે. સ્વાધ્યાય કરવાથી લોકો બોલે છે કે –સર્વજ્ઞના પુત્રો થયા છતાં ૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy