________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
તેટલા છે, માટે. ૨૬. તે થકી ઇશાન દેવલોકની દેવીયો સંખ્યાતગણી છે, બત્રીશગણી
વધારે છે, માટે ૨૭. તે થકી સૌધર્મ દેવલોકે દેવતા સંખ્યાલગણા છે, કારણ કે
વિમાન ઘણા છે, અને દક્ષિણ દિશાએ કૃષ્ણપક્ષી ઘણા છે, માટે ૨૮. તે થકી સૌધર્મ દેવલોકની દેવી સંખ્યાતગણી છે, બત્રીશગણી
અધિક છે, માટે. ૨૯. તે થકી ભુવનપતિ દેવતા અસંખ્યગણા છે. કારણ કે અંગુલ
માત્ર આકાશ ક્ષેત્ર પ્રદેશ રાશી સંબંધી પ્રથમ વર્ગમૂલ સાથે ગુણતાં જેટલા પ્રદેશ થાય તેટલી ધનીકૃત લોકની એક પ્રદેશની
શ્રેણિને વિષે જેટલા આકાશપ્રદેશ હોય, તેટલા છે, તે માટે. ૩૦ તે થકી ભુવનપતિની દેવી સંખ્યાતગણી છે, બત્રીશ ગણી
અધિક છે, માટે, ૩૧. તે થકી પહેલી નરકને વિષે નારકીના જીવો અસંખ્યગણા છે,
કારણ કે અંગુલ માત્ર જે પ્રદેશ રાશી સંબંધી પ્રથમ વર્ગમૂલ ગણીત દ્વિતીય વર્ગમૂલ પ્રમાણ શ્રેણિને વિષે જેટલા
આકાશપ્રદેશ હોય, તેટલા છે. ૩૨. તે થકી ખેચર તિર્યંચપંચેંદ્રિય, તિર્યંચ યોનિના પુરૂષ
અસંખ્યગણા છે, કારણ કે, એક પ્રદેશ પ્રતર અસંખ્યાત ભાગવર્તી, અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશ પ્રમાણ છે, તે
માટે, ૩૩. તે થકી ખેચર તિર્યંચ પંચેંદ્રિય યોનિના પુરૂષની સ્ત્રી,
સંખ્યાતગણી છે, ત્રણગણી અધિક છે, માટે. ૩૪. તે થકી સ્થલચર પુરૂષ તિર્યંચ યોનિના સંખ્યાતગણી છે કારણ
કે એક પ્રતર અસંખ્ય ભાગવર્તી પ્રભૂત અસંખ્યશ્રેણિગત આકાશ પ્રદેશ રાશી પ્રમાણે છે, માટે
૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org