________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૩. તે થકી છઠ્ઠી નરકના નારકી જીવો અસંખ્યગણા છે, કારણ
કે નરકાવાસા ઘણા છે, અને ઉત્કૃષ્ટ પાપ કરનારથકીહીન પાપ
કરનારા ઘણા છે, માટે, ૧૪. તે થકી સન્નાર દેવલોકના દેવતા અસંખ્યગણા છે, ૧૫. તે થકી મહાશુક દેવલોકના દેવતા અસંખ્યગણા છે, વિમાન
ઘણા છે. તેથી, ૧૬. તે થકી પાંચમી નરકના નારકી જીવો અસંખ્યગણા છે, ૧૭. તે થકી લાંતક દેવલોકના દેવતા અસંખ્યગણા છે. ૧૮. તે થકી ચોથી નરકના નારકી જીવો અસંખ્યગણા છે, ૧૯. તે થકી બ્રહ્મદેવલોકના દેવતા અસંખ્યગણા છે, ૨૦. તે થકી ત્રીજી નારકીના જીવો અસંખ્યગણા છે, ૨૧. તે થકી માહેંદ્ર દેવલોકના દેવતા અસંખ્યગણા છે. ૨૨. તે થકી સનકુમાર દેવલોકના દેવતા અસંખ્યગણા છે, ૨૩. તે થકી બીજી નરકના નારકી જીવો અસંખ્યગણા છે,
એ બારમા બોલથી ત્રેવીસમા બોલ સુધી બે બાર બોલ પ્રત્યેકે સર્વ ધનીકૃત લોકની એક શ્રેણિને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશપ્રદેશ હોય તે પ્રમાણે છે, અને એક એકથી અસંખ્ય ગણા છે, અસંખ્યાતના અસંખ્ય ભેદ છે, માટે વિરૂદ્ધ
કહેવાય નહિ. ૨૪. તે થકી સંમૂચ્છિમ મનુષ્ય અસંખ્યગણા છે કારણ કે અંગુલ માત્ર
ક્ષેત્ર તેમાં જેટલા આકાશપ્રદેશ શ્રેણિને વિષે જેટલા છે, તેટલા
છે, માટે. ૨૫. તે થકી ઇશાન દેવલોકના દેવતા અસંખ્યગણા છે, કારણ કે
અંગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ રાશી સંબંધી દ્વિતીય વર્ગમૂલ, તૃતીય વર્ગમૂલ સાથે ગુણતા જેટલા પ્રદેશ થાય, તેટલી ધનીકૃત લોકની એક પ્રદેશની શ્રેણિને વિષે જેટલા આકાશપ્રદેશ હોય ન90
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org