SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બેઇંદ્રિયને હેત્વોપદેશિકી સંજ્ઞા હોય છે. તે ઇંદ્રિયને હેત્વોપદેશિકી સંજ્ઞા હોય છે. ચૌરિદ્રિયને હેત્વોપદેશિકી સંજ્ઞા હોય છે. તિર્યંચ પંચેદ્રિયને ૩ ત્રણે સંજ્ઞા હોય છે. મનુષ્ય પંચેદ્રિયને ૩ ત્રણે સંજ્ઞા હોય છે. વાણવ્યતરને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. જ્યોતિષિને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. વૈમાનિકને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. એવી રીતે સંજ્ઞા દ્વાર કહ્યું. હવે એકવીસમું કયા દંડકવાળા જીવો મરીને કઈ ગતિમાં જાય છે તે બતાવે છે. સાત નરકવાળા જીવો મરીને ૧ ગર્ભજ તિર્યંચમાં તથા ૨ ગર્ભજ મનુષ્યમાં એ બે દંડમાં જાય છે. તે નીચે મુજબ છે. ૧ સાતમી નરકમાંથી નીકળેલો ગર્ભજ તિર્યંચમાં જાય. ૨ છઠ્ઠી નરકમાંથી નીકળેલ જીવ મનુષ્ય થાય, પણ સાધુ ના થાય. ૩ પાંચમી નરકથી નીકળેલ સાધુ થાય, પણ કેવલજ્ઞાની ન થાય. ૪ ચોથી નરકથી નીકળેલ કેવલી થાય તો થાય, પણ તીર્થકર ન થાય. ૫ ત્રીજી નરકથી નીકળેલ તીર્થકર થાય, પણ વાસુદેવ બળદેવ ન થાય. ૬ બીજી નરકથી નીકળેલ વાસુદેવ બળદેવ થાય, પણ ચક્રવર્તી ન થાય. ૭ પહેલી નરકથી નીકળેલ તીર્થંકર ચક્રવર્તી વાસુદેવ બળદેવ વિગેરે થાય છે. એવી રીતે સાત નરકના જીવોની વિગત કહી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy