________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
તેઇંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. ચૌરિંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. તિર્યંચ પંચેંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. મનુષ્ય પંચેદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. વાણવ્યંતરવાળા છ દિશાનો આહાર લે છે. જયોતિષવાળા છ દિશાનો આહાર લે છે. વૈમાનિકવાળા છ દિશાનો આહાર લે છે.
એ પ્રકારે દિશિ આહારનું દ્વાર કહ્યું. હવે વશમું ત્રણ પ્રકારની સંજ્ઞા નીચે મુજબ છે.
૧ દીર્ઘકાલિકી સંજ્ઞા, ૨ હેત્વોપદેશિકી સંજ્ઞા, ૩ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા એ ત્રણ પ્રકારની સંજ્ઞા કહેલી છે.
૧ જે અતીત, અનાગત કાળની ચિંતવના કરવામાં આવે, તે દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય.
૨ સુધા, તૃષા લાગે, હરવા-ફરવા વિગેરેની ઇચ્છા થાય તે હત્વોપદેશિકી સંજ્ઞા કહેવાય.
૩ પૂર્વની આજ્ઞાને અનુસરીને આમ જ થશે, મંત્રા આમ જ સધાય સિદ્ધિ આમ જ થશે વિગેરે મનમાં ઉંડી વિચારણા ચિંતવના કરીયે તે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય.
એ પ્રકારે ત્રણ સંજ્ઞાના ભેદ કહ્યા. કયા દંડકવાળાને કઈ સંજ્ઞા હોય છે, તે બતાવે છે. સાત નરકવાળાને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. દસ પ્રકારના દસ ભુવનપતિને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. પૃથ્વીકાયને સંજ્ઞા નથી. અપકાયને સંજ્ઞા નથી. તેઉકાયને સંજ્ઞા નથી. વાઉકાયને સંજ્ઞા નથી વનસ્પિતકાયને સંજ્ઞા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org