________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૫. પાંચમો આરો ૨૧ એકવીશ હજાર વર્ષનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ સો વર્ષ ઝાઝેરૂ હોય છે, અને ઉતરતું ૨૦ વર્ષનું હોય
છે.
૬. છઠો આરો એકવીશ હજાર વર્ષનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ ૨૦ વર્ષનું અને ઉતરતું સો વર્ષનું હોય છે.
એવી રીતે પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું. એવી રીતે મનુષ્યના દંડકનું આયુષ્ય કહ્યું.
(વાણવ્યંતર અને જ્યોતિષીઓ નું આયુષ્ય)
વાણવ્યંતરનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ એક. પલ્યોપમનું હોય છે.
વાણવ્યંતરની દેવીયોનું આયુષ્ય જઘન્ય દસ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું હોય છે.
જ્યોતિષિનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું હોય છે. પરંતુ જ્યોતિષિ પાંચ પ્રકારના કહ્યા છે, તે નીચે મુજબ છે.
૧ ચંદ્રમાનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષનું હોય છે, અને ચંદ્રમાની દેવીનું આયુષ્ય જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અડધો ભાગ અને ઉપર પચાસ હજાર વર્ષનું હોય છે.
૨ સૂર્યનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને ઉપર એક હજાર વર્ષનું હોય છે. સૂર્યની દેવીનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અડધો ભાગ અને ઉપર પાંચસો વર્ષનું ગણવું.
૩ ગ્રહોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું જાણવું અને ગ્રહોની દેવીનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમનું જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org