________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
પ્રથમ યુગલિયા મનુષ્યના ૪ ચાર ભેદ નીચે મુજબ છે.
૧ પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુરૂ ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્ય ત્રણ પલ્યોપમમાં દેશથી ઊણું હોય છે, અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે.
૨ પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્યથી બે પલ્યોપમમાં દેશથી ઊણું હોય છે. અને ઉત્કૃષ્ટથી બે પલ્યોપમનું હોય છે.
૩. પાંચ હિમવંત અને પાંચ ઐરણ્યવંત ક્ષેત્રના યુગલિયાનું આયુષ્ય જઘન્ય દેશથી ઊણું પલ્યોપમનું હોય છે, અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમનું હોય છે.
૪. છપ્પન્ન અંતર્લિપના મનુષ્યના ૪ ચાર ભેદ કહ્યા.
પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત હોય છે અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષનું હોય છે.
પાંચ ભરત ક્ષેત્રના અને પાંચ ઐરાવતક્ષેત્રના કાલનું પ્રમાણ સરખું હોય છે, માટે દશે ક્ષેત્રના મનુષ્યોનું આયુષ્ય સરિખુ જાણવું.
ભરતક્ષેત્રને વિષે તેમજ ઐરાવતક્ષેત્રને વિષે છ આરાનું પ્રમાણ સરિખું છે તેથી આયુષ્ય પણ સરિખું જાણવું.
પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટ નીચે મુજબ બતાવે છે :
૧ પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમનો છે, તેમાં મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે.
૨ બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો છે, તેમાં મનુષ્યોનું આયુષ્ય ઉત્કૃષ્ટ બે પલ્યોપમનું હોય છે.
૩ ત્રીજો આરો. બે કોટાકોટી સાગરોપમનો છે, તેમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ એક પલ્યોપમનું હોય છે. - પ. પાંચમો આરો ૨૧ એકવીશ હજાર વર્ષનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોટી વર્ષનું હોય છે.
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org