________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૧ ગર્ભજ તિર્યચપંચેંદ્રિયના પાંચ ભેદ છે, તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે મુજબ છે. ૧ જલચરનું આયુષ્ય પૂર્વકોડી વર્ષનું હોય છે. ૨ સ્થલચરનું આયુષ્ય ૩ પલ્યોપમનું હોય છે. ૩ ખેચરનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં
ભાગનું હોય છે. ૪ ઉરપરિસર્પનું આયુષ્ય પૂર્વકોડી વર્ષનું હોય છે. ૫ ભુજપરિસર્પનું આયુષ્ય પૂર્વકોડી વર્ષનું હોય છે.
૨ બીજા સંમૂચ્છિમ તિર્યંચપંચેંદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય નીચે મુજબ કહેલું છે.
૧ જલચરનું આયુષ્ય પૂર્વકોટી વર્ષનું હોય છે. ૨ સ્થલચરનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું હોય છે. ૩ ખેચરનું આયુષ્ય ૭૨ હજાર વર્ષનું હોય છે. ૪ ઉરપરિસર્પનું આયુષ્ય પ૩ હજાર વર્ષનું હોય છે. ૫ ભુજપરિસર્પનું આયુષ્ય ૪૨ હજાર વર્ષનું હોય છે . એવીરીતે તિર્યચપચંદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું.
સંમૂચ્છિમ મનુષ્યનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું હોય છે.
ગર્ભજ મનુષ્યનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે.
હવે ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ નીચે મુજબ બતાવે છે. ૧ યુગલિયા ક્ષેત્રના મનુષ્યો. ૨ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યો.
૩ ભરતક્ષેત્ર તથા ઐરાવત ક્ષેત્રના મનુષ્યો, એવી રીતે ત્રણ ભેદ કહ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org