SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 1. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પૃથ્વીકાયનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષનું હોય છે. તે પૃથ્વીકાયના છ પ્રકાર છે. અને તેનું આયુષ્ય જુદુ જુદુ નીચે મુજબ બતાવે છે. ૧ સુનાનું ૧ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૨ સુધાનું ૧૨ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૩ વાલુઅન ૧૪ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૪ મણસીલનું ૧૬ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. પ શર્કરાનું ૧૮ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૬ ખરપૃથ્વીનું ૨૨ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. એવી રીતે છ પ્રકારે પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું. અપકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષ હોય છે. વાઉકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનું હોય છે. પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષનું હોય છે. બેઇદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ૧૨ બાર વર્ષનું હોય છે. તે ઇંદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ દિવસનું હોય છે. ચૌરિદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. તિર્યચપંચેંદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. - હવે એ તિર્યચપચેંદ્રિયના ૧ ગર્ભજ, ૨ સંમૂચ્છિમ એવા બે ભેદ છે, તેને નીચે મુજબ બતાવે છે. ૪૯ ભાગ-૫ ફ-૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy