________________
1.
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
પૃથ્વીકાયનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષનું હોય છે. તે પૃથ્વીકાયના છ પ્રકાર છે. અને તેનું આયુષ્ય જુદુ જુદુ નીચે મુજબ બતાવે છે. ૧ સુનાનું ૧ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૨ સુધાનું ૧૨ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૩ વાલુઅન ૧૪ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૪ મણસીલનું ૧૬ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. પ શર્કરાનું ૧૮ હજાર વર્ષનું આયુષ્ય હોય છે. ૬ ખરપૃથ્વીનું ૨૨ હજાર વર્ષનું આયુષ્ય હોય છે.
એવી રીતે છ પ્રકારે પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું.
અપકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષ હોય છે.
વાઉકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનું હોય છે.
પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષનું હોય છે.
બેઇદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ૧૨ બાર વર્ષનું હોય છે.
તે ઇંદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ દિવસનું હોય છે.
ચૌરિદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે.
તિર્યચપંચેંદ્રિયનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે. - હવે એ તિર્યચપચેંદ્રિયના ૧ ગર્ભજ, ૨ સંમૂચ્છિમ એવા બે ભેદ છે, તેને નીચે મુજબ બતાવે છે.
૪૯
ભાગ-૫ ફ-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org