________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૧. દક્ષિણ દિશાના અધિપતિ ચમરેંદ્રની નિકાયનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટથી ૧ એક સાગરોપમનું હોય છે.
તથા ચમરેંદ્રની નિકાયની દેવીનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટથી ૩ી સાડા ત્રણ પલ્યોપમનું હોય છે.
૨. ઉત્તર દિશાના અધિપતિ બલીંદ્રની નિકાયનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમ ઝાઝેરું હોય છે.
તથા બલીંદ્રની નિકાયની દેવીનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટથી ૪ll સાડાચાર પલ્યોપમનું હોય છે.
બાકી નાગકુમારથી માંડીને સ્વનિતકુમાર સુધી નવ નિકાયને વિષે બે બે ઇંદ્રો છે, તેના આયુષ્યો નીચે મુજબ છે.
દક્ષિણ દિશાના નવ નિકાયના ઇંદ્રોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટથી દોઢ પલ્યોપમનું હોય છે.
અને દક્ષિણ દિશાના નવ નિકાયના ઇદ્રોની દેવીયોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું, અને ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમનું હોય છે.
ઉત્તર દિશાના નવ નિકાયના ઇંદ્રોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું હોય છે અને ઉત્કૃષ્ટથી ૨ પલ્યોપમમાં દેશથી ઊણું હોય
ઉત્તર દિશાના નવ નિકાયના ઇંદ્રોની દેવીયોનું આયુષ્ય જઘન્યથી ૧૦ હજાર વર્ષનું હોય છે, અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમમાં દેશથી ઊણું હોય છે.
એવી રીતે નવ નિકાયના દેવોનું આયુષ્ય કહ્યું.
એવી રીતે દશ પ્રકારના દશ ભુવનપતિ દેવોના આયુષ્યનો વિગતવાર વિચાર કહ્યો. હવે પૃથ્વીકાયાદિકના દંડકમાં આયુષ્યનો વિચાર કહે છે. M૪૮
~
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org