________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે પંદરમું ઉત્પન્ન થવાનું દ્વાર કહે છે :
ક્યા કયા દંડકને વિષે જઘન્યથી એક સમયમાં એક બે ત્રણ જીવ ઉપજે, ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉપજે.
દશ પ્રકારના દશ ભુવનપતિના દંડકને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા ઉપજે.
પૃથ્વીકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. અપકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. તેઉકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. વાઉકાયને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે. વનસ્પતિને વિષે એક સમયમાં અનંતા જીવ ઉપજે.
બે ઇંદ્રિયને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે , અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે.
તે ઇંદ્રિયને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે.
ચૌરિંદ્રિયને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે
ગર્ભજતિર્યંચ પંચેંદ્રિયમાં એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવ ઉપજે.
સંમૂચ્છિમ મનુષ્યને વિષે એક સમયમાં અસંખ્યાતા જીવ ઉપજે, પરંતુ તે બધા મિથ્યાદષ્ટિ જીવો હોય છે.
ગર્ભજ મનુષ્યમાં એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવ ઉપજે.
વાણવ્યંતરને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે.
ન ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org