________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
જયોતિષિને વિષે એક સમયમાં જઘન્યથી એક બે ત્રણ જીવ ઉપજે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે.
વૈમાનિકને વિષે પ્રથમથી આઠમા દેવલોક સુધીમાં એક સમયમાં સંખ્યાતા અને અસંખ્યાતા જીવ ઉપજે.
નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધીમાં એક સમયમાં સંખ્યાતા જીવ ઉપજે, તે જીવો મનુષ્યમાંથી આવે અને મનુષ્યમાં જાય છે. એ પ્રકારે ઉત્પત્તિદ્વારનું વર્ણન કર્યું.
(હવે સોળમું ચ્યવનદ્વાર હે છે.) જે પ્રકારે ઉત્પત્તિ દ્વાર કહેલું છે, તે જ પ્રકારે તે તે દંડકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ચ્યવન જીવોનું પણ જાણી લેવું. જે દંડકમાં જીવો જેટલા એક સમયમાં ઉત્પન્ન થાય તે દંડકમાં તેટલા જીવો એક સમયમાં ચ્યવે, વિગેરે સમજવું.
( હવે સત્તરમું આયુષ્યદ્વાર નીચે મુજબ છે. ) કયા કયા દંડકને વિષે આયુષ્ય કેટલું કેટલું હોય છે, તે કહે
સાત નારકીના દંડકને વિષે આયુષ્યનો વિચાર નીચે મુજબ છે. સાત નરકના નામ. જઘન્ય આયુષ્ય. ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ રત્નપ્રભા. ૧૦ હજાર વર્ષ ૧ સાગરોપમ ૨ શર્કરા પ્રભા ૧ સાગરોપમ ૩ સાગરોપમ. ૩ વાલુકાપ્રભા ૩ સાગરોપમ ૭ સાગરોપમ. ૪ પંકપ્રભા
૭ સાગરોપમ. ૧૦ સાગરોપમ. ૫ ધૂમપ્રભા, ૧૦ સાગરોપમ. ૧૭ સાગરોપમ. ૬ તમ:પ્રભા ૧૭ સાગરોપમ. ૨૨ સાગરોપમ. ૭ તમસ્તમપ્રભા ૨૨ સાગરોપમ. ૩૩ સાગરોપમ.
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org