________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૧. ચક્ષુદર્શન, ૨. અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪. કેવલદર્શન, એ ચાર ભેદ છે. એવી રીતે બાર ઉપયોગ કહ્યા.
હવે કયા દંડકને વિષે કેટલા ઉપયોગો હોય તે કહે છે.
સાત નારકીના દંડકને વિષે પ્રથમના ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને પ્રથમના ૩ ત્રણ દર્શન મળી ૯ ઉપયોગ હોય છે.
તેમાં સમકિતદષ્ટિને ૩ પ્રથમના જ્ઞાન, તથા ૩ પ્રથમના દર્શન મળી કુલ છ ઉપયોગ હોય છે.
મિથ્યાદષ્ટિને ૩ પ્રથમના અજ્ઞાન તથા ૩ પ્રથમના દર્શન મળીને કુલ ૬ ઉપયોગ હોય છે.
દશ પ્રકારના દશ ભુવનપતિના દંડકને ૩ પ્રથમના જ્ઞાન, ૩. અજ્ઞાન, ૩. પ્રથમના દર્શન કુલ નવ ઉપયોગ હોય છે.
પૃથ્વીકાયને વિષે ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે.
અપકાયને વિષે ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે.
તેઉકાયને વિષે ૩ મતિઅજ્ઞાન. ૨ શ્રુતઅજ્ઞાન ૩. અચક્ષુદર્શન એ ૩ ત્રણ ઉપયોગ હોય છે.
વાઉકાયને વિષે ૩ મતિઅજ્ઞાન. ૨ શ્રુતજ્ઞાન ૩ અચક્ષુદર્શન એ ૩ ત્રણ ઉપયોગ હોય છે.
વનસ્પતિકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન ૩ અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે.
બેઇદ્રિય અપર્યાપ્તને પ્રથમના બે જ્ઞાન, પ્રથમના ૨ અજ્ઞાન અને ૧ અચક્ષુદર્શન એ પાંચ ઉપયોગ હોય છે. અને પર્યાપ્ત ને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય
તે ઇંદ્રિય અપર્યાપ્તને ૨ પ્રથમના જ્ઞાન, ૨ પ્રથમના અજ્ઞાન, M૩૯
~
૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org