________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ વૈક્રિયકાયયોગ, ૪ વૈક્રિયમિશ્રકાયયોગ ૫ કાર્મણકાયયોગ, મનના યોગ ૪ તથા વચનના ૪ સર્વે મળી ૧૩ યોગો હોય છે.
એવી રીતે તિર્યંચ પચેંદ્રિયના બે ભેદ કહ્યા.
સંમૂચ્છિક મનુષ્યને ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ ત્રણ યોગ હોય છે.
ગર્ભજ મનુષ્યને ૪ મનના યોગ, ૪ વચનના યોગ, ૭ કાયાના યોગ એ પ્રકારે પંદર યોગ હોય છે.
એ પ્રકારે મનુષ્યોના બે ભેદ કહ્યા.
વાણવ્યંતરને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ પ્રકારે અગીયાર યોગ હોય છે.
જ્યોતિષિને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૪ યોગ, કાયાના ત્રાણ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ ૩ કાર્પણ કાયયોગ એ પ્રકારે અગીયાર યોગ થયા.
વૈમાનિક દેવોને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ, ૩ કાર્પણ કાયયોગ એ પ્રકારે અગીયાર યોગ હોય છે.
એવી રીતે યોગદ્વારનું વર્ણન કર્યું. હવે ચૌદમા ૧૨ ઉપયોગના ભેદો નીચે મુજબ બતાવે છે.
૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન-એ ૫. પાંચ ભેદ જ્ઞાનના છે.
૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. વિર્ભાગજ્ઞાન-એ ત્રણ અજ્ઞાનના ભેદ છે.
M૩૮
3૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org