________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ દ્વીપ સમુદ્ર સુધી દેખે છે.
ત્રીજી રૈવેયકના ત્રિકના દેવો તથા ૪ અનુત્તર વિમાનના દેવો નીચે સાતમી નરક સુધી દેખે છે, અને તિચ્છ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી દેખે છે.
સર્વાર્થસિદ્ધ પાંચમાં વિમાનના દેવતા ચૌદ રાજ લોકનું સ્વરૂપ કાંઈક ન્યૂન દેખે, અને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે.
એવી રીતે જ્ઞાનના ભેદનું વર્ણન કર્યું. હવે તેરમા યોગના પંદર ભેદ નીચે મુજબ છે :
મનના ૪-ચાર યોગ છે : ૧ સત્ય મન યોગ, ૨ અસત્ય મનયોગ. ૩ સત્યામૃષામનયોગ, ૪ અસત્યઅમૃષામનયોગ એ-ચાર પ્રકારે મનયોગ છે.
વચનના ૪ ચાર યોગ : ૧ સત્યવચનયોગ, ર અસત્ય વચનયોગ, ૩ સત્યામૃષાવચનયોગ, ૪ અસત્યામૃષાવચન યોગ એ ચાર પ્રકારે વચનયોગ છે.
કાયાના ૭-સાત યોગ છે : ૧ ઔદારિક કાયયોગ, ૨ ઔદારિક મિશ્રકામ યોગ, વૈક્રિય કાયયોગ, ૪ વૈક્રિય મિશ્રકામ યોગ, ૫ આહારકકાયયોગ, ૬ આહારક મિશ્રકામ યોગ, ૭ કાર્પણ કાયયોગ. આવી રીતે મન વચન કાયાના મળીને પંદર યોગો થયા.
- હવે કયા દંડકમાં કેટલા કાયયોગ હોય છે, તે નીચે મુજબ બતાવે છે :
સાત નરકના દંડકમાં મનના યોગ ૪ તથા વચનના ૪ તથા ૧, વૈક્રિય કાયયોગ ૨, વૈક્રિય મિશ્રાય યોગ ૩, કાર્પણ કાયયોગ એવી રીતે નરકના દંડકમાં ૧૧ અગીયાર યોગો હોય છે.
હવે દસ પ્રકારના દસ ભુવનપતિના દસ દંડકને વિષે મનના યોગ ૪ તથા વચનના ૪ યોગ તથા ૧ વૈક્રિય કાયયોગ ૨ તથા વૈક્રિય
36
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org