________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ બીજો કોઈ હોય તે ક્રોધ પામ્યોથકો, જઘન્યથકી તો અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ લાંબો તેજ, શરીર પુદ્ગલે વીંટયો આત્મપ્રદેશનો દંડ રચે, તેણે કરીને મનુષ્યાદિકને બાલે, એવી રીતે ઘણા તેજસના પુગલોનો શાટક કરે, પરંતુ અંતર્મુહૂર્તનું પ્રમાણ હોય છે, તે તેજસ સમુદ્દાત કહેવાય છે.
૬. આહારક સમુઘાત, આહારક શરીર કરવા નિમિત્તે વૈક્રિયની પેઠે ચૌદ પૂર્વધર જે હોય, તે કરે છે, એ મૂડા હાથ પ્રમાણે આહારક શરીરનું પુતળુ કરે છે, તે સંખ્યાતા યોજન સુધી જાય છે, અને અંતર્મુહૂર્ત માત્ર તેનું પ્રમાણ હોય છે, તે આહારક સમુધાત કહેવાય છે.
૭ કેવલી સમુદ્દાત- તે કેવલી ભગવાન વેદનાદિક થકી આયુ કર્મ ઓછું જાણે, તે ચૌદ રાજલોક પ્રમાણ કરે તેમાં પહેલે સમયે દંડ રચે, બીજે સમયે કપાટ કરે, ત્રીજે સમયે મંથન કરે, ચૌથે સમયે આંતરાપુરે, પાંચમે સમયે આંતરા સંહરે, છઠે સમયે મંથન સંહરે, સાતમે સમયે કપાટ સંહરે આઠમે સમયે દંડ સંહરે, પછી પોતાનું હોય તેવું સહજ સ્વભાવિકરૂપ થાય, આઠ સમય પ્રમાણ સંહારે કહ્યો, ઘણા વેદનીય નામ ગોત્રના દલશાટન કરે, તેનું દષ્ટાંત કહે છે, તે જેમ ભીનું લુગડું હોય, તેહને પહોળુ કરીને ઉતાવળુ સુકવવામાં આવે તેમ આત્મ પ્રદેશ વિસ્તારવે કરીને વહેલા કર્મની નિર્જરા થાય, એવી રીતે કેવલી સમુદ્રઘાત કહીયે. એવી રીતે સાત સમુદ્ધાતો કહ્યા.
૮. પચિત માસ ખંડ સમુદ્યત-તે અજીવ સમુદ્દાત કરે, તેનુ માન-આઠ સમયનું હોય છે.
પ્રથમ સાત સમુઘાત કહી-તેમાંથી કયા કયા દંડકને વિષે ઘાત કહી-તેમાંથી કયા કયા સમુદ્યાત હોય છે, તે નીચે મુજબ બતાવે
છે.
સાત નારકીના દંડકને ૧ વેદના સમુદ્યાત ૨ કષાય સમુદ્ ઘાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org