________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
પહેલે આરે ૩ ગાઉનું હોય છે. બીજે આરે ૨ ગાઉનું હોય છે.
ત્રીજે આરે ૧ ગાઉનું હોય છે, પણ ઉતરતું ૫00 ધનુષ્યનું હોય છે.
ચોથે આરે ૫૦૦ ધનુષ્યનું હોય છે, પણ ઉતરતું ૭ સાત હાથનું હોય છે,
પાંચમે આરે ૭ સાત હાથનું પણ ઉતરતું ૧ હાથનું હોય છે.
છઠે આરે એક હાથનું પણ ઉતરતું ૧ હાથમાં સેજસાજ ઓછું હોય છે.
એવી રીતે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રનો કાળ સરિખો રહેલો છે, માટે ત્યાંના લોકોનો દેહમાન પણ સરખો જ જાણવો.
આવી રીતે ગર્ભજ મનુષ્યનું કહ્યું, પણ ઉત્તરવૈક્રિય કરે તો, એક લાખ યોજના અને ચાર આંગુલ અધિક જાણવું.
સંમૂચ્છિમ મનુષ્યોના શરીરનું માન, જઘન્ય તથા ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું.
વાણવ્યંતર દેવોના દેહનું માન, જયારે આવીને ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું, અને ઉત્કૃષ્ટ ૭ સાત હાથનું જાણવું.
અને ઉત્તરવૈક્રિય કરે તો જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન જાણવું.
જ્યોતિષી દેવોના દેહનું માન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું અને ઉત્કૃષ્ટ ૭ સાત હાથનું જાણવું, અને ઉત્તરક્રિય કરે તો જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન.
વૈમાનિકદેવતાનું દેહમાન જ્યારે આવીને ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું જાણવું અને ઉત્કૃષ્ટ દેહમાનની
( ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org