________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
પ ભુજપરિસર્પનું ગાઉપૃથફત્વ (૨ થી ૯ ગાઉનું)
એ રીતે ગર્ભજનનું દેહમાન કહાં હવે જો ઉત્તર વૈક્રિય કરે તો ૯૦૦ યોજન કરી શકે. (કરે)
હવે બીજા સંમૂચ્છિમતિર્યચપંચેંદ્રિયના દેહમાનની વિગત કહે છે તે નીચે મુજબ છે. -
૧ જલચર એક હજાર યોજના ૨ સ્થળચર ગાઉપૃથકત્વ (૨ થી ૯ ગાઉ) ૩ ખેચર ધનુષ્ય પૃથફત્વ (૨ થી ૯ ધનુષ્ય) ૪ ઉરપરિસર્પ યોજન પૃથકત્વ (૨ થી ૯ યોજન) પ ભુજપરિસર્પ ગાઉપૃથકત્વ (૨ થી ૯ ગાઉ)
એવી રીતે બે પ્રકારે તિર્યંચ પંચંદ્રિયના ઉત્કૃષ્ટ દેહમાન કહ્યા. મનુષ્યના શરીરનું જઘન્ય દેહમાન અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે, તેની વિગત નીચે મુજબ
પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુરૂના યુગલીયા મનુષ્યોનું દેહમાત્ર ત્રણ ગાઉનું હોય છે.
પાંચ હરિવર્ષ અને પાંચ રમ્યક ક્ષેત્રના યુગલીયા મનુષ્યોનું દેહમાન બે ગાઉનું હોય છે.
પાંચ હિમવંત અને પાંચ હિરણ્યવંત ક્ષેત્રમાં યુગલીયા મનુષ્યોનું દેહમાન એક ગાઉનું હોય છે.
છપ્પન અંતર દીપના યુગલીયા મનુષ્યોનું દેહમાન ૮૦૦ ધનુષ્યનું હોય છે.
પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું હોય
છે.
હવે પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના મનુષ્યોના દેહમાનો આરા પ્રમાણે હોય છે તેની વિગત -
(૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org