________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ લાખ યોજન થાય, એવી રીતે ભુવનપતિના દેહમાનની અવગાહના
કહી.
પૃથ્વીકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગનું હોય છે.
અપકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે.
તેઉકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગનું હોય છે.
વાઉકાયનું દેહમાન જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે.
વનસ્પતિકાયના દેહમાનના બે ભેદ છે.
જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું દેહમાન હોય છે, અને ઉત્કૃષ્ટ એક હજાર જોજનથી અધિક દેહમાન હોય છે.
બે ઇંદ્રિયનું દેહમાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ દેહમાન ૧૨ યોજનાનું હોય છે.
'તે ઇંદ્રિયનું દેહમાન જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૩ ગાઉનું હોય છે.
ચૌરિદ્રિયનું દેહમાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ ચાર ગાઉનું હોય છે.
તિર્યંચ પંચેંદ્રિયનું જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું દેહમાન હોય છે, અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનાનું હોય છે, તેની વિગત નીચે મુજબ છે.
૧ જલચરનું ૧ હજાર જોજનનું છે. ૨ સ્થલચરનું ૬ ગાઉનું છે. ૩ ખેચરનું, ધનુષ્યપૃથફત્વ (૨ થી ૯ ધનુષ્યનું) ૪ ઉરપરિસર્પનું ૧ હજાર જોજનનું
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org