SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પાપવર્જિત સાત તત્વો માને છે, સ્વ, પર એ બે ભેદોથી ગુણવાથી ૧૪ થાય છે. તેને પાંચ સમવાયથી તથા છ8ા ચદ્રચ્છા ભેદથી ગુણવાથી, ૮૪ ભેદો થાય છે. તેઓ વસ્તુનું ઉત્પત્તિ અનંતર વિનાશીપણું માનનારા ક્ષણિકવાદી હોય છે. અજ્ઞાનિયો ૬૭ ભેદયુક્ત હોય છે. તેઓ અજ્ઞાન દશાથી હઠ-કદાગ્રહવાળા હોય છે, તેથી જ્ઞાનને અજ્ઞાનપણે માને છે, જીવાદિક નવતત્ત્વોને ૧ સત્ત્વ ૨ અસત્ય ૩ સદ્ અસત્ત્વ ૪ અવાચ્યત્વ, ૫ સદ્ અવાચ્યત્વ, ૬-૭ સદ્દઅસદ્ અવાચ્યત્ત્વ નવને સાતે ગુણવાથી ૬૩ ભેદ થાય છે, તેને એક ૧ સતી, ૨ અસતી, ૩ સઅસતી, ૪ અવક્તવ્યા ભાવોની ઉત્પત્તિ એ ચારેથી ગુણવાથી ૬૭ ભેદો થાય છે. નિયાયિકોના ૩૨ ભેદો થાય છે. તેઓ આ ચાર લિંગ શાસ્ત્રોને ધારણ કરવાવાળા હોતા નથી, ફક્ત વિનયપ્રતિપત્તિ લક્ષણ યુક્ત હોય છે. દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ માતા પિતા આઠ આઠને મન વચન કાયા દાન એ ચારેથી ગુણવાથી ૩૨ ભેદો થાય છે. તેઓ જિનવચન રહિત મિથ્યાદ્રષ્ટિ વ્યાસ વાલ્મિકી આદિના શાસ્ત્રોથી મૂળ જ્ઞાનહીન રહી દંભાદિકને સેવન કરીને પોતાના મતને સ્થાપન કરીને બીજા જીવોને પોતાની ભંગજાળને વિષે ફસાવનારા હોય છે. ૧૪૩ ૧૪3 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy