________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કારણે કહ્યું, પરંતુ વર્ણાદિક બદલવાથી ખપે નહિ. વળી લોકો બે ત્રણ તાવણનું માખણ ભેગું કરી ધી કરે છે, તે ઘી પણ ખપે નહિ માટે બે ઘડીની અંદર માખણને ઉનું કરીને, છાશનો ભાગ રહે નહિ તેવું માખણ બે ત્રણ તાવણ રાખી, પછી પાકું કરેલું ઘી હોય તે ખપે છે, પરંતુ તેમ કરવામાં વિલંબ કરે છે, તો બે ઘડીયે અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ જાય છે. - ૩૦ અથાણા-બોળ અથાણું સર્વથા અભક્ષ્ય છે, માટે ખપે જ નહિ, તથા પરદેશી લીલા મરી આવે છે તે પણ બોળ કહેવાય છે, અર્થાત પાણી તથા મીઠું સાથે હોય, તથા તેલ પણ હોય, તો તે પણ અભક્ષ્ય કહેવાય છે લીંબુ આદિનું અથાણું ત્રણ દિવસ સુધી ખપે અને જેને વિષે લીંબુ આદિની ખટાશ હોય છે, તે પણ ત્રણ દિવસ સુધી જ ખપે છે, અને ખટાઈ વિનાનું અથાણું બીજે દિવસે જ વાસી થાય છે. તેમાં પણ જો શેકીને મેથી નાખેલી હોય, તો તે જ દિવસ ખપે, ઉપરાંત નહિ. કાચા ગોરસ સાથે કાચી મેથી નાખેલી કહ્યું નહિ. જે અથાણુ બનાવતી વખતે કાચની બંગડી જેવું સુકાવેલું હોય તો તેમાં રાઈ ગોળ નાખે, અને તેલથી બુડબુડા એટલે તેલ તરતું રાખે, તો તે અથાણુ જયાં સુધી વર્ણાદિક ન બદલાય ત્યાંસુધી ભણ્ય કહેવાય, તે ઉપરાંત અભક્ષ્ય ગણાય.
અને તેલ થોડું થોડું રાખેલ હોય છે તો જલ્દીથી અભક્ષ્ય થવાનો સંભવ રહે છે, અને સર્વથા પ્રકારે બંગડી જેવું સુકાવેલ ન હોય, પરંતુ કાંઇક ન્યૂન હોય તો ૩ થી ૪ દિવસ સુધી તે અથાણુ ખપે છે.
૩૧. મીઠું ભઠ્ઠીમાં કરેલું મીઠું બે ચાર વરસ અચિત્ત રહે છે અને શ્રાવક પોતાને ઘરે એક શેર મીઠું કાંડી દળીને આશરે બશેર પાણીમાં પલાળીને તે એક રસ થયાથી, તે રસ ગાળીને, જેમ સાકર ખાંડનું બુરૂ
૧૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org