________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તે પાણી બે ઘડી પછી પી શકાય સિવાય નહિ.
રાખ પણ પાણીમાં એવી રીતે નાખે કે પાણી તમામ ડોળું થઈ જાય અને પછી બે ઘડી થયા પછી ગાળીને વાપરવાથી દોષાપત્તિ ન લાગે, અન્યથા દોષ લાગે છે.
ચોખા આદિનું ધોવણ વિધિથી અચિત્ત કરવામાં આવે તો ૬ ઘડી સુધી ખપે છે, પછી અકથ્ય છે. | ત્રિફલાનું ધોવાણ બે ઘડી સુધી અચિત્ત રહે છે. ફળનું ધોવણ એક પહોર સુધી અચિત્ત રહે છે.
ત્યારબાદ સર્વે અચિત્તપણાને ફીટાડી સચિત્ત ભાવને પામે છે, અને ચોખા આદિકનું પાણી ડોહોળું હોયત્યાં સુધી મિશ્ર રહે છે. ત્યારબાદ નિતર્યા બાદ અચિત્ત થાય છે, તે સર્વ ગુરૂગમથી સમજવું.
૨૬. ઠંડું સચિત્ત પાણી પણ શ્રાવકવર્ગને ગળ્યા સિવાય વાપરવું નહિ.ય વિધિથી બબે ઘડીયે ગળીને પાણી પીવાવાળા જીવો કેટલાએક પ્રકારના ઉપયોગવાળા હોવાથી જીવોનો બચાવ કરે છે, કેટલાએકો એટલે ઘણા લોકો ગળ્યા વિનાનું પાણી પીવે છે, અને ગળ્યા વિનાના પાણીથી કામકાજ કરી પોતાના ઉપયોગમાં લે છે, તે લોકો જીવોની મહાન હિંસા કરવાવાળા થાય છે, માટે શ્રાવકવર્ગને ઉપયોગ રાખવાની ખાસ આવશ્યકતા છે.
૨૭. છાશ. છાશ ૧૬ પહોર સુધી ખપે, પછી કહ્યું નહિ. એક બીજા દિવસની ભેળસેળ કરેલી છાશ ખપે નહિ, કારણ કે હાલમાં ઘણાખરા ગામોમાં તે રિવાજ છે પણ તે રિવાજ ખોટો છે.
૨૮ ધી વર્ણ સ્વાદાદિક બદલવાથી ખપે નહિ. ૨૯. માખણ-છાશમાંથી બહાર કાઢતા બે ઘડીની અંદર રોગાદિક
૧39
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org