________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ થયાપ્રથમના અને અસ્ત થયા પછીના ખપે નહિ. આ વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે. ખારો પલાળવો લોટ બાંધવો એ વિગેરે ઉપર લખ્યા પ્રમાણે કરવામાં આવે ત્યારે જ ખપે, સિવાય નહિ.
૨૨. અડદની દાળના વાટેલી દાળના મગના ચોળાના વડાં વડીયો પાપડના લુવા વિગેરે ૪પહોર ખપે, ઉપરાંત ખપે નહિ, અભક્ષ્ય થાય,
૨૩. ફરસી વસ્તુઓ – તળેલ શેવ ગાંઠીયા દાળ કળી બુંદી આદિ વસ્તુઓનો કાળ શેકેલા ધાન્ય જેટલો છે, પણ ભજીયા કચૂરી લોચાપુરી પુડલા માલપુડા આધિ નરમ વસ્તુઓ ૪ પહોર સુધી કહ્યું, તે જ દિવસે ખવાય, સિવાય બીજે દિવસે અભક્ષ્ય થાય, ખપે નહિ.
૨૪. પ્રાસુક પાણી બરાબર શુદ્ધ ત્રણ ઉકાળાવાળું પાણી ઉનું કરેલું ચોમાસામાં ૩ પહોર કલ્પ, શીયાળામાં ૪ પહોર કલ્પ, ઉનાળામાં પ પહોર કલ્પ, સિવાય કલ્પે નહિ, પરંતુ ઉપરોક્ત કાળથી વધારે વખત સુધી રાખવું હોય તો પાણીમાં કળીચૂનો નાખી, પાણી બરાબર ધોળુ થાય તે પાણી જયારથી ઉકાળેલું હોય ત્યારથી ૨૪ પહોર સુધી ખપે, વિશેષ ખપે નહિ, કારણ કે વધારે રાખવાથી સચિત્ત થઈ જાય વળી તે ચૂનો નાખેલું પાણી વાપરવાના કામમાં લઈ શકાય, પરંતુ પીવાના કામમાં લઈ શકાય નહિ.
૨૫. સચિત્ત પાણીમાં સાકર અને રાખ નાખવાથી બે ઘડી પછી અચિત્ત થાય છે, અને અચિત્ત થયા પછી બે ઘડી સુધી તે પાણી ખપે છે. ઉપરાંત નહિં. કેટલાએક અણસમજુ માણસો ઘણા પાણીને વિષે સહેજસાજ થોડી સાકર તથા થોડી રાખે નાખી પાણી પીવે છે, પણ આ તેમની મોટી ભૂલ છે. સાકર એટલી નાખવી જોઇએ કે ગળપણ પાણીમાં વધારે લાગે, તથા પાણીનો વર્ણ રસ સ્વાદ બદલાય ત્યારે જ
૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org