________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કલ્પ નહિ.
૧૭. રાંધેલા ચોખા, સાંજે રાંધેલા ભાત હોય અને તેમાં ચાર આંગુલ બુડબુડા છાશ તરતી નાખેલી હોય. તો આઠ પહોર સુધી ખપે, પરંતુ સવારના રાંધેલા ભાત હોય, તેમાં ચાર આંગુલ ઉપર પ્રમાણે છાશ રાખવાથી પણ ૪ પહોર ખપે, ઉપરાંત ખપે નહિ.
૧૮. ખાખરા બરાબર શેકેલા હોય, તેમજ બહુ જ સાચવણીથી રાખેલ હોય તથા લીલફુગાદિક ન આવેલ હોય તો સુખડીનાં કાળ પ્રમાણે ખપે, ઉપરાંત ખપે નહિ.
૧૯. યુગલી રાબ, એટલે ધાન્ય થોડું અને તેમાં છાશ ઘણી હોય, તે જુગલી રાબ કહેવાય છે. તે યુગલી રાબ ૧૨ પહોર સુધી ખપે, તથા છાશ થોડી અને ધાન્ય ઘણું તે ઘંશ કહેવાય છે, તે આઠ પહોર સુધી ખપે છે. તે પણ જુવાર જારના લોટની હોય તો જ , પણ વિદળ તેમજ બીજા ધાન્યવાળી હોય, તો તે દિવસે દિવસ છતાં જ કહ્યું છે, અન્યથા નહિ.
૨૦. સર્વ જાતની રાંધેલી રસોઈ-દિવસની રાંધેલી રસોઈ સાંજ સુધીમાં ખપે છે, જેમકે દાળ ભાત શાખ રોટલી રોટલા શીરો લાપસી વિગેરે ૪ પહોર એટલે સાંજ સુધીમાં તે જ દિવસે ખપે, ત્યારબાદ વાસી થઈ જવાથી અભક્ષ્ય ગણાય, માટે વાપરી શકાય નહિ, કારણ કે વાસી અન્ન અભક્ષ્ય ગણાય છે.
૨૧. પાપડ સાળવડા ખીસીયા વડી પાપડ સેવ આદિ કારતક શુદિ ૧૫ થી આષાઢ શુદિ ૧૫ સુધીમાં કહ્યું, પરંતુ ચોમાસાને વિષે ખપે નહિ, પરંતુ બરાબર વિધિથી કરેલ હોય તો કહ્યું, તે ગુરૂગમથી પુછીને જાણવું. બાકી તમામ ઋતુમાં સૂર્યનો ઉદય થયા પછી, તેમજ સૂર્યનો અસ્ત થયા પહેલા પાપડ વિગેરે કલ્પ, શિવાય ઉદય
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org