________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
(કાલના માન સંબંધી વિચાર)
૧ આટો લોટ ચાળ્યા વિનાનો, દળ્યા પીસ્યા પછી, શ્રાવણ ભાદરવા માસમાં ૫ દિવસ મિશ્ર રહે,
આસો કાર્તિકમાં ૪ દિવસ મિશ્ર રહે, માગશર પોષમાં ૩ દિવસ મિશ્ર રહે,
મહા ફાગણમાં ૫ પહોર, એટલે ૩ કલાકનો એક પહોર થાય એવા પંદર ૧૫ કલાકના ૫ પહોર થાય, તે પાંચ પ પહોર મિશ્ર
રહે.
ચૈત્ર વૈશાખમાં ૪ પહોર મિશ્ર રહે.
જેઠ અષાઢમાં ૩ પોહોર મિશ્ર રહે, એટલે નવ કલાક પછી અચિત્ત થાય. મિશ્ર એટલે કાંઇક સચિત્ત અને કાંઇક અચિત્ત હોય તે, અને જે દિવસે લોટ દલ્યો-પીસ્યો હોય, અને તે જ વખતે ચાળ્યો હોય, તો બે ઘડી પછી અચિત્ત થાય, અને જે અચિત્ત લોટ હોય તેના વર્ણ, ગંધ, રસ (સ્વાદ), સ્પર્શ પલટાઇ જાય ત્યારે તે અભક્ષ્ય થઇ જવાથી તે લોટ વાપરી શકાય નહિ, ખાવાના કામમાં લઈ શકાય નહિ તથા તે લોટમાં જીવોની ઉત્પત્તિ જોવામાં આવે, તો તે લોટ ચાળીને પણ વાપરી શકાય નહિ, કારણ કે અભક્ષ્ય થઇ જાય, પડસુદી, રવો વિગેરેના સમાન અભક્ષ્ય ગણાય.
ચોમાસાને વિષે દરરોજ બે વખત લોટ ચાળવો, તથા શિયાળા ઉનાળાને વિષે લોટ દરરોજ એક વખત ચાળવો. જો ચાળવામાં ન આવે તો તેમાં જાળા બંધાઈ જાય છે, અને તેથી તુરત બગડી જઈ અભક્ષ્ય થઈ જાય છે. વળી પણ લોટનો જ્યારે જયારે ખપ પડે ત્યારે નિરંતર તમામ વખતે ચાળીને જ વાપરવો.
M૧૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org